![]()
અમદાવાદ,સોમવાર,16 માર્ચ,2026
૧૮ માર્ચે અમદાવાદમાં યૂનેસ્કોની બે સભ્યોની ટીમ અમદાવાદ
આવશે. ચાર દિવસની મુલાકાતમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં કાલુપુર રેલવે સ્ટેશનના
ચાલી રહેલા રી ડેવલપમેન્ટ પ્રોજેકટ ઉપરાંત દાણાપીઠ ફાયર સ્ટેશનની મુલાકાત લેશે. આ
બંને પ્રોજેકટ હેરીટેજ ઉપરાંત બફર ઝોનમા આવતા હોવાથી હેરીટેજ સચાવાયુ છે કે કેમ તે
તથા આ પ્રોજેકટોથી લીવીંગ હેરીટેજ ઉપર તેની શું અસર પડી છે તે અંગે ખાસ અભ્યાસ
કરશે તેમ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.
વર્ષ-૨૦૧૭ના જુલાઈ મહિનામા અમદાવાદ શહેરને યૂનેસ્કો તરફથી
વર્લ્ડ હેરીટેજ શહેરનો દરજજો આપવામા આવ્યો હતો. જે પછી ૧૮ માર્ચથી ફરી એક વખત
યૂનેસ્કોની ટીમ તેમની પિરીયોડીક મુલાકાતે આવશે. ચાર દિવસમા શહેરના ભદ્ર પ્લાઝા
ઉપરાંત શહેરની વિવિધ પોળોમાં આવેલી
રહેણાંક હેરીટેજ મિલકતો ઉપરાંત અન્ય મોન્યુમેન્ટસની કોર્પોરેશને કેવી
સાચવણી કરી છે તેની વિગત મેળવશે.કોર્પોરેશન અને સરકારના અધિકારીઓ સાથે અલગ અલગ
બેઠક કરી અમદાવાદના હેરીટેજના દરજજા અંગે એક આકલન કરવામા આવશે.









