gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in INDIA
0 0
0
બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter



Chardham Yatra: બદ્રીનાથ અને કેદારનાથ ધામ અને સંબંધિત મંદિરોમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓ હવે લેખિત શરત સાથે પ્રવેશ કરી શકશે, તેના માટે તેમણે એક એફિડેવિટ (સોગંદનામું) અથવા લેખિત ઘોષણા આપવી પડશે કે તેઓ હિન્દુત્વ અને સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. આ વાત બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી. આ અગાઉ સમિતિની બોર્ડ બેઠકમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બિન-સનાતનીઓના પ્રવેશ પર આંશિક રોક સાથે શરતી મંજૂરી

મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં બિન-સનાતનીઓનો પ્રવેશ વર્જિત રહેશે. પણ જો એફિડેવિટ (સોગંદનામું) અથવા લેખિત ઘોષણા આપશે કે હિન્દુત્વ અને સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે તો જ દર્શન માટે એન્ટ્રી મળશે.

અભિનેત્રી સારા અલી ખાન અંગે શું નિર્ણય?

અભિનેત્રી સારા અલી ખાન ઘણી વખત કેદારનાથ ધામના દર્શને આવી ચૂકી છે. તેની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ પણ અહીં જ થયું હતું, જેના કારણે તેને આ ધામ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે હવે સારા અલી ખાને પ્રવેશ માટે શું કરવું પડશે, ત્યારે મંદિર સમિતિના અધ્યક્ષે જણાવ્યું કે તેમણે પણ અન્ય લોકોની જેમ લેખિતમાં આપવું પડશે કે તેઓ હિન્દુત્વ અને સનાતન ધર્મમાં આસ્થા ધરાવે છે, તો જ તેઓ દર્શન કરી શકશે.

સોગંદનામાનું ફોર્મેટ ઉપલબ્ધ કરાવાશે

પ્રેસ કોન્ફરન્સમાં બિન-સનાતનીઓના પ્રવેશ સંબંધિત પ્રશ્ન પર હેમંત દ્વિવેદીએ કહ્યું કે, જે લોકો હિન્દુ ધર્મ અને સનાતન પરંપરાઓમાં આસ્થા રાખે છે અને તે લેખિતમાં આપવા તૈયાર છે, તેઓ ધામમાં આવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે મંદિર સમિતિ આ શપથ પત્ર (સોગંદનામું)નું ફોર્મેટ ઉપલબ્ધ કરાવશે.

આસ્થાની પુષ્ટિ કરવી જરૂરી

હાલમાં મળેલી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિની બોર્ડ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધામોમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવે. ત્યારબાદ સમિતિના અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે શ્રદ્ધાળુઓની આસ્થાની પુષ્ટિ માટે શપથ પત્રની વ્યવસ્થા કરવામાં આવશે. આ શપથ પત્ર મંદિર પરિસરમાં જ ઉપલબ્ધ રહેશે, જેથી ઈચ્છુક શ્રદ્ધાળુઓ ત્યાં જ તેને ભરી શકે.

મોબાઈલ પર પ્રતિબંધ

SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) હેઠળ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. હાલમાં, મંદિરથી 50 થી 60 મીટરની મર્યાદામાં આ પ્રતિબંધ લાગુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચારધામ યાત્રા માટે મંદિરો ખુલવાની તારીખો

ચારધામ તીર્થયાત્રા સત્તાવાર રીતે 19 એપ્રિલથી શરૂ થશે. આ તારીખે યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે. ત્યારબાદ 22 એપ્રિલે કેદારનાથ મંદિરના કપાટ ખુલશે અને 23 એપ્રિલે બદ્રીનાથ મંદિરના કપાટ ખુલશે.

આ પણ વાંચો: રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ સાથે જોડાયેલા મંદિર/કુંડ/સમાધિનું લિસ્ટ

કેદારનાથ ધામ

બદ્રીનાથ ધામ

તુંગનાથ ખાતે શ્રી તુંગનાથ મંદિર

બદ્રીનાથ ખાતે માતા મૂર્તિ મંદિર

બદ્રીનાથ ખાતે બ્રહ્મ કપાલ શિલા અને પરિક્રમા સંકુલ

સુભાઈ ખાતે ભવિષ્ય બદ્રી મંદિર

બદ્રીનાથ ખાતે તપ્ત કુંડ (પૂલ અને ગરમ ઝરણું)

જોશીમઠમાં નરસિંહ મંદિર

ઉર્ગમ ખાતે ધ્યાન બદ્રી મંદિર

મધ્યમહેશ્વર ખાતે શ્રી મધ્યમહેશ્વર મંદિર

ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર

પાંડુકેશ્વર ખાતે યોગ બદ્રી મંદિર

ગૌરીકુંડ ખાતે શ્રી ગૌરી મૈયા મંદિર

બદ્રીનાથ ખાતે શ્રી આદિ કેદારેશ્વર મંદિર

જયોતિરેશ્વર ખાતે મહાદેવ મંદિર

અનિમથ ખાતે વૃધ્ધ બદ્રી મંદિર

બદ્રીનાથ પુરીમાં પંચ શિલા

બદ્રીનાથ પુરીમાં પંચ ધારા

શ્રી કેદારનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો

ગુપ્તકાશી ખાતે શ્રી વિશ્વનાથ મંદિર પરિસરમાં નાના મંદિરો

ઉખીમઠ ખાતે ઓમકારેશ્વર મંદિર

ત્રિયુગીનારાયણ ખાતે શ્રી ત્રિયુગીનારાયણ મંદિર

કાલિશિલા ખાતે કાલિશિલા મંદિર

વસુંધારા

વસુંધારા ધોધ નીચે ધર્મશિલા

કેદારનાથમાં ઉદક કુંડ

ઉખીમઠમાં શ્રી ઉષા દેવી મંદિર

ઉખીમઠમાં શ્રી બારાહી દેવી મંદિર

બદ્રીનાથમાં શ્રી વલ્લભાચાર્ય મંદિર

વિષ્ણુપ્રયાગમાં નારાયણ મંદિર

સીતા દેવી મંદિર

પાખીમાં શ્રી નરસિંહ મંદિર

દરમીમાં શ્રી નરસિંહ મંદિર

નંદપ્રયાગમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર

કુલસારીમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર

દ્વારહાટ(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર

ગુડારી(અલમોડા)માં શ્રી લક્ષ્મી નારાયણ મંદિર

કાલીમઠમાં શ્રી મહાકાલી મંદિર

કાલીમઠમાં શ્રી મહાલક્ષ્મી મંદિર

કાલીમઠમાં શ્રી મહાસરસ્વતી મંદિર

જોશીમઠમાં શ્રી દુર્ગા મંદિર

જ્યોતિર્શ્વરમાં ભક્તવત્સલ મંદિર

કેદારનાથમાં માતા પાર્વતી મંદિર

કેદારનાથમાં ઈશાનેશ્વર મંદિર

કેદારનાથમાં ગણેશ મંદિર

કેદારનાથમાં હંસા કુંડ

કેદારનાથમાં રેતસ કુંડ

કેદારનાથમાં શંકરાચાર્ય સમાધિ/ શ્રી ભૈરવનાથ મંદિર



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…
INDIA

ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…

March 17, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…
INDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…

March 17, 2026
સસ્પેન્ડ થયેલા 8 સાંસદોનું સસ્પેન્શન રદ પણ શરતો લાગુ ! લોકસભા સ્પીકર પર કાગળો ફેંક્યા હતા | Lok Sabh…
INDIA

સસ્પેન્ડ થયેલા 8 સાંસદોનું સસ્પેન્શન રદ પણ શરતો લાગુ ! લોકસભા સ્પીકર પર કાગળો ફેંક્યા હતા | Lok Sabh…

March 17, 2026
Next Post
VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | …

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | ...

જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પા…

જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા 'ચકલી બચાવો અભિયાન' અન્વયે પા...

અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ…

અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા | 7 dumpers detained on Limbdi Highway

લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા | 7 dumpers detained on Limbdi Highway

3 months ago
અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

11 months ago
લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

11 months ago
વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara

વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા | 7 dumpers detained on Limbdi Highway

લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા | 7 dumpers detained on Limbdi Highway

3 months ago
અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

અમદાવાદના રખિયાલમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે મચાવ્યો આતંક, વીડિયો વાઇરલ | Anti social elements …

11 months ago
લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

લાલપુર તાલુકાના મીઠાઈ ગામના એક વેપારી ત્રણ વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ જતાં ઝેર પી લઇ મોતને મીઠું કરી…

11 months ago
વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara

વડોદરામાં પૂરનું સંકટ ટાળવા વિશ્વામિત્રી નદી, આજવા તળાવ સહિતની જગ્યાએ 3.15 લાખ ક્યુબિક મીટર માટીનો જથ્થો ઉલેચાયો | 3 15 lakh cubic meters of soil was removed from Vishwamitri River and Ajwa Lake in vadodara

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News