gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in INDIA
0 0
0
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Land Acquisition Case : સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનના કેસમાં ખેડૂતો અને જમીન માલિકોના હિતમાં મહત્વનો નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કહ્યું છે કે, વળતરની બંધારણીય ગેરંટી સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે, વળતર અને વ્યાજની રકમ કેટલી મોટી છે અથવા તેનાથી કેટલો નાણાકીય બોજ પડશે તેના આધારે ન્યાયના સિદ્ધાંતો બદલાઈ શકે નહીં.

શું હતો વિવાદ?

આ સમગ્ર વિવાદ એનએચએઆઈ દ્વારા 4 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવેલા એક ચુકાદાના પુનઃવિચાર માટે હતો. વર્ષ 2019ના એક નિર્ણય મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે જમીન સંપાદિત કરવામાં આવી છે તેના પર ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ મુજબ 9 ટકા વ્યાજ આપવાનું નક્કી થયું હતું. એનએચએઆઈ આ વ્યાજ દરને તેમના પોતાના કાયદા મુજબ 5 ટકા સુધી મર્યાદિત રાખવા માંગતું હતું. સત્તાધિકારીએ દલીલ કરી હતી કે, આ નિર્ણયથી તેમના પર 29,000 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે જે અગાઉ માત્ર 100 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો. જોકે મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે, માત્ર આર્થિક બોજ એ ચુકાદાની સમીક્ષા કરવાનો માન્ય આધાર નથી.

આ પણ વાંચો : ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ

‘તમામ માલિકો વળતર અને વ્યાજ મેળવવાના હકદાર’

અદાલતે વધુમાં કહ્યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમ હેઠળ જેમની જમીન લેવામાં આવી છે તે તમામ માલિકો વળતર અને વ્યાજ મેળવવાના હકદાર છે કારણ કે તે યોગ્ય વળતરનો જ એક ભાગ છે. જોકે આ નિર્ણયનો અમલ કરતી વખતે કોર્ટે મર્યાદા પણ નક્કી કરી છે. જે કેસમાં વળતરના દાવાઓ આખરી રીતે પતી ગયા છે તેને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પતાવટ થયેલા દાવાઓ ફરીથી ધ્યાને નહીં લેવાય

ન્યાયતંત્રએ જમીન માલિકોના અધિકારો અને કાયદાકીય પ્રક્રિયાની નિશ્ચિતતા વચ્ચે સંતુલન જાળવવા પર ભાર મૂક્યો છે. કોર્ટે અગાઉ 23 ફેબ્રુઆરીએ પણ નિર્દેશ આપ્યો હતો કે, માર્ચ 2018 પહેલાના જે કિસ્સાઓનો નિકાલ થઈ ચૂક્યો છે તેવા દાવાઓને ફરીથી ધ્યાને લેવામાં આવશે નહીં. આમ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે વળતરના બાકી રહેલા કિસ્સાઓમાં જ આ વ્યાજ દરનો લાભ મળી શકશે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવાર



G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | G…

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી 'અશાંત વિસ્તાર' ગણાશે 'નિર્દિષ્ટ વિસ્તાર' | G...

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents…

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ | Cry for water in Fatehganj residents...

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival…

માધવપુર વૈકુંઠ બનશેઃ કાલે રામનવમીથી ભગવાન શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજીનો વિવાહ ઉત્સવ | The wedding festival...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ | naraya…

આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ | naraya…

3 months ago
મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

5 months ago
શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

1 year ago
ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ | naraya…

આસારામના પુત્ર નારાયણ સાંઈના પત્ની જાનકી દેવી સાથે છૂટાછેડા, આટલા કરોડ ચૂકવવું પડશે ભરણપોષણ | naraya…

3 months ago
મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

5 months ago
શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

શીરોલા ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત | 2 people died in an accident betw…

1 year ago
ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

ગિરનાર-દાતાર જંગલમાં ચંદન ચોર ટોળકી સક્રિય, વધુ 4 વૃક્ષનો ખાત્મો | Sandalwood thieves gang active in…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News