Pahalgam Terrerist Attack: પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શનમાં છે. જ્યાં આ મુદ્દે મહત્ત્વની ચર્ચા માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે (24 એપ્રિલ) એક સર્વદળીય બેઠક બોલાવી છે. સરકારી સૂત્રોના અનુસાર, આ મહત્ત્વની બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પહલગામ હુમલાથી જોડાયેલા મુદ્દાઓ, જેવા હાલની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી શકે છે. જો કે, સરકાર તરફથી હજુ સુધી આ બેઠકને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.