Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ભયાનક હુમલો કરી દેશ જ નહીં વિશ્વભરને હચમચાવી નાખ્યું છે. આતંકીઓએ ગઈકાલે (22 એપ્રિલ) પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 28 લોકોના જીવ લેતા દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. બીજીતરફ વિશ્વભરમાં પણ હુમલાના પડઘા પડ્યા છે. આ હુમલા વચ્ચે ઈઝરાયલે ભારતને જાહેરમાં સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે.