
India-Pakistan Indus Water Treaty : આતંકવાદીઓએ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળી વરસાવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પાકિસ્તાન ચોતરફ મુશ્કેલીમાં આવી ગયું છે. હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કડક નિર્ણયો લઈ રહી છે. આતંકવાદીઓનો ગઢ બનેલું પાકિસ્તાને સબક શિખડાવવા માટે ભારતે 1960ની સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. હવે એવી માહિતી સામે આવી છે કે, આ સંધિ સમાપ્ત કરવાનો ભારતે પ્લાન બનાવી દીધો છે, જેને ત્રણ તબક્કામાં લાગુ કરાશે.
પાકિસ્તાન જતું પાણી અટકાવાશે, પ્લાનની તૈયારીઓ શરૂ










