gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે? | Pahalgam att…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2025
in INDIA
0 0
0
સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે? | Pahalgam att…
0
VIEWS
Share on FacebookShare on Twitter



– આતંકી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષો આકરાપાણીએ છતાં એક્શન માટે સરકારની તરફેણમાં

– અમરનાથ યાત્રા માટેનો માર્ગ સ્થાનિક ટૂર ઓપરેટરોએ બે મહિના પહેલાં ખોલી કાઢ્યો, બે દિવસ ધમધમાટ છતાં જડબેસલાક સુરક્ષાનો દાવો કરતું આખું તંત્ર ઉંઘતું ઝડપાયું

– સૈન્યની હાજરી નથી અને સ્થાનિક પોલીસ સ્ટેશન નથી ત્યાં સરકારની જાણ વગર બે હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા કેવી રીતે

Pahalgam Terror Atttack News :  કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની તપાસનો દેશભરમાં ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ઓલ પાર્ટી બેઠકનંમ આયોજન થયું હતું. આ બેઠક દરમિયાન ચર્ચામાં આવ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલો મોટી સુરક્ષા બેદરકારીનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે આ હુમલા અંગે કોઈ ટિપ નહોતી. તેનાથી પણ મોટો છબરડો એ સામે આવ્યો હતો કે, પ્રવાસીઓ જે સ્થળે ફરતા હતા તે સ્થળ અમરનાથયાત્રામાં લોકો માટે  ખોલવામાં આવે છે. આ સ્થળ સરકારની, સુરક્ષા જવાનોની, સ્થાનિક એજન્સીઓની જાણ બહાર પ્રવાસીઓ માટે બે મહિના વહેલું ખોલી દેવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ આ સ્થિતિનો લાભ લઈને જ મોટો હુમલો કર્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ, આપ, ટીએમસી, એનસીપી અને બીજા ઘણા પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે સુરક્ષામાં ચુક થવા મુદ્દે સરકારને ઘેરી હતી. બીજી તરફ તેમણે આતંકવાદને નાથવા માટે સરકારને તમામ સ્તરે સાથ આપવાનો પણ વાયદો કર્યો હતો.

સરકારને ખબર નહોતી તો આતંકીઓને કેવી રીતે ખબર પડી

સ્થાનિક સૂત્રોમાં ચર્ચા છે કે, પ્રવાસીઓ માટે જે જગ્યા ખોલવામાં આવી તેની જાણ સરકારને નહોતી, સ્થાનિક સરકારને નહોતી, ટૂરિઝમ ડિપાર્ટમેન્ટને નહોતી, સ્થાનિક પોલીસતંત્રને નહોતી, પહેલગામ પાસે આવેલા આર્મી અને બીએસએફના કેમ્પમાં થયેલી નહોતી તો પછી આતંકવાદીઓને કેવી રીતે જાણ થઈ. આ કેસમાં સ્થાનિકોની સંડોવણીનો હોવાની દિશામાં પણ સવાલો થઈ રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, જે જગ્યાની જાણ સરકારને જ નથી તેની તમામ માહિતી આતંકીઓ સુધી પહોંચી કેવી રીતે. તે ઉપરાંત દેશના જુદા જુદા ખુણેથી આવતા ટૂર ઓપરેટર્સને પણ આ જગ્યા ખુલી ગઈ હોવાની જાણ કેવી રીતે થઈ હતી. આ જગ્યા વહેલી ખોલવામાં સ્થાનિક નેતાઓ અને રાજકારણીઓ તથા લાલચુ સ્થાનિક ટૂર ઓપરેટર્સની સંડોવણી હોવાની વાત પણ ચર્ચાના ચકડોળે ચડી છે.

આતંકીઓ જાણતા હતા કે બે કલાક પહેલાં મદદ નહીં આવે 

પહલગામના જે રિસોર્ટ પાસે હુમલો થયો તેની માહિતી આતંકીઓ પાસે હતી જ અને સ્થાનિક મદદ દ્વારા તેઓ આ જગ્યાની રેકી કરી ગયા હોવાનું પણ સૂત્રોનું માનવું છે. તેઓ જણાવે છે કે, અમરનાથ યાત્રા દરમિયાન પહલગામ ફરવા માટે આ પટ્ટો ખોલવામાં આવે છે પણ તે આ વખતે વહેલો ખોલાશે તેની માહિતી આતંકીઓને હતી. ચાર આતંકીઓમાંથી બે સ્થાનિક આતંકીઓ દ્વારા હુમલા માટે અને ત્યારબાદ નાસી જવા માટે પ્લાન બનાવવા દરમિયાન અહીંયાની રેકી કરવામાં આવી હોવી જોઈએ. આતંકીઓ જાણતા હતા કે, અહીંયા હુમલો કરવામાં આવશે તો મદદ આવવા માટે ઓછામાં ઓછા દોઢ બે કલાક લાગશે. આ જગ્યા પહલગામથી થોડી દૂર અને અમરનાથ યાત્રાના રસ્તામાં આવે છે. સુરક્ષા જવાનો તહેનાત નથી અને પોલીસ અહીંયા આવતી નથી. તેના પગલે જ આતંકવાદીઓ દ્વારા અહીંયા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

બે મહિના પહેલાં માર્ગ ખોલવાનો ઓર્ડર આપ્યો કોણે?

બીજો સૌથી મોટો સવાલ એ છે કે, દર વર્ષે અમરનાથ યાત્રા જૂન મહિનામાં શરૂ થાય છે. તે સમયે રસ્તા આવતો પહલગામનો આ પટ્ટો ખોલવાની મંજૂરી સરકાર અને સૈન્ય દ્વારા આપવામાં આવે છે. આ રસ્તા ઉપર પહેલા સુરક્ષા જવાનો ગોઠવાય છે, સુરક્ષાની પૂરતી તૈયારીઓ કરવામાં આવે છે અને ત્યારબાદ જૂન મહિનાથી યાત્રા શરૂ કરાય છે. આ વખતે બે મહિના પહેલાં એપ્રિલમાં જ આ પટ્ટો ખોલવાની મંજૂરી ક્યાંથી આપવામાં આવી અને કોણે માહિતી માગી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂણે વગેરે જગ્યાએથી આવતા ટૂર ઓપરેટર્સને કેવી રીતે ખબર પડી કે, ૨૦ એપ્રિલથી આ પટ્ટો ખુલી ગયો છે. સુરક્ષાની વ્યવસ્થા વગર બસો ત્યાં જવા નથી દેવાતી તો આ વખતે પ્રવાસીઓ ત્યાં કેવી રીતે પહોંચી ગયા. સ્થાનિક સરકાર, પોલીસ કે તંત્રને પણ બસો અને પ્રવાસીઓ આવ્યાની જાણકારી નહોતી. આનાથી મોટી બેદરકારી અને છબરડો શું હોઈ શકે?

પાકિસ્તાની સૈન્ય અધિકારીએ ધમકી આપી જ હતી

સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે, પાકિસ્તાની સૈન્ય અધિકારીએ કાશ્મીરમાં હુમલો કરવાની ધમકી ઉચ્ચારી જ હતી. તેણે જણાવ્યું હતું કે, ભારત ભલે કાશ્મીરને પોતાનો ભાગ માને અને ત્યાં સબ સલામતના દાવા કરે પણ અમે ગમે ત્યારે કાશ્મીરની શાંતિ ડહોળી શકીએ છીએ. આઈએસઆઈની મદદથી પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ દ્વારા આતંકીઓને તાલિમ આપીને અહીંયા હુમલો કરાયો છે. આ જગ્યામાં પ્રવેશ કરવો, પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પુછવું, ગોળીબાર કરવો, ત્યાંથી જંગલના રસ્તે અલોપ થઈ જવું તે પાકિસ્તાની પ્લાન હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ આવી માહિતી મેળવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આ પુરાવો છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…
INDIA

‘જે કંઈ થઈ રહ્યું છે તેનો હું જ બાપ-દાદા છું…’ રાહુલ ગાંધીએ કોને ગુસ્સામાં આવો જવાબ આપ્યો | bhupin…

June 6, 2025
‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…
INDIA

‘મને ચોર કેમ કહો છો, હું પ્રણવ મુખર્જી…’ ભાગેડું વિજય માલ્યાનો બૅન્ક લોન અંગે મોટો દાવો | vijay ma…

June 6, 2025
Next Post
શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee…

શેરબજારમાં નવેસરથી પીછેહટના પગલે રૂપિયા સામે ડોલરમાં વોલેટાલિટી | Volatility in dollar against rupee...

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast...

વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can…

વક્ફ કાયદામાં સુધારો બંધારણીય કોર્ટ સ્ટે ના મુકી શકે : સુપ્રીમમાં કેન્દ્ર | Constitutional Court can...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

3 months ago
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

2 months ago
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

3 months ago
લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો ‘ન ઘરના રહેશો, ન ઘાટના’ | understand risk…

લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો ‘ન ઘરના રહેશો, ન ઘાટના’ | understand risk…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

તારા ટાંટિયા તોડી નાખીશ! પ્રયાગરાજની મહાકુંભ યાત્રાના પૈસાની ઉઘરાણી કરી ધમકી આપનાર સામે ગુનો દાખલ | …

3 months ago
કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના, જાણો રૂટ સહિતની માહિતી | Kailash Ma…

2 months ago
PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

PM મોદીએ BIMSTEC દેશો વચ્ચે વેપાર અને ટુરિઝમને વેગ આપવા UPI સાથે લિંક કરવા મૂક્યો પ્રસ્તાવ | pm modi…

3 months ago
લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો ‘ન ઘરના રહેશો, ન ઘાટના’ | understand risk…

લોન ગેરેન્ટર બનતાં પહેલાં આ બાબતોની ખાસ ખાતરી કરો, નહીં તો ‘ન ઘરના રહેશો, ન ઘાટના’ | understand risk…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News