![]()
અમદાવાદ,શુક્રવાર,8 મે,2026
અમદાવાદના માદલપુર ગરનાળા પાસે આવેલા વર્ષો જુના વૃક્ષનુ
નિકંદન કાઢી નાંખવામા આવતા સ્થાનિકોએ મ્યુનિસિપલ બગીચા વિભાગની બેદરકારી સામે રોષ
વ્યકત કર્યો છે. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ,
માદલપુર ગરનાળા પાસે આવેલી એક
જાહેરખબર એજન્સી હોર્ડિંગ્સ લગાવી શકે એ માટે રાતોરાત વર્ષો જુના વૃક્ષનુ
નિકંદન કાઢવામા આવ્યુ છે.એક તરફ મિશન મિલિયન ફાઈવ થીમ હેઠળ વર્ષ-૨૦૨૬-૨૭માં શહેરના
વિવિધ વિસ્તારોમા પચાસ લાખ રોપા રોપવાની ગુલબાંગ હાંકવામા આવી રહી છે ત્યારે બગીચા
ખાતાના અધિકારીઓ વર્ષો જુનુ વૃક્ષ કોની મંજૂરીથી કપાયુ તે અંગે બોલવા તૈયાર નથી.










