![]()
ભેંસની વસ્તી સૌથી વધુ
ભાવનગર – લ્લા પશુ પાલન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન હાથ ધરેલ પશુ વસ્તી ગણતરી પ્રમાણે ખાસ કરીને ઢોર, ભેસ, બકરી, ઘેટા અને ઉટ જેવા દૂધાળા પશુઓની કુલ સંખ્યા ૭.૬૦ લાખથી વધુ નોંધાઇ હતી અને તળાજા તાલુકામાં હાઇએસ્ટ પશુ સંખ્યા ૧.૭૮ લાખ થઇ હતી. જો કે, આ પાંચ વર્ષ દરમિયાન આ સંખ્યામાં પણ વધારો નોંધાયો છે અને નવો સર્વે પૂર્ણ થયાને બે માસ વિતતા હોય તંત્ર હજુ રાહમાં જોવા મળે છે.
વર્ષ ૨૦૧૯-૨૦ બાદ નવી ગણતરીની કામગીરી પૂર્ણ થયાને બે માસ વિતવા છતાં તંત્ર રાહમાં
માનવ વસ્તી વધવાની સાથો સાથ પશુઓની વસ્તીમાં પણ વધારો થતો હોય છે અને દર પાંચ વર્ષે તેની ગણતરી પણ કરાય છે. છેલ્લી પશુ ગણતરી પ્રમાણે ખાસ કરીને દૂધાળા અને પાલતુ પશુઓમાં ઢોર, ભેંસ, બકરી અને ઘેટાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કુલ ૭,૬૦,૮૬૩ની સંખ્યા નોંધાયેલી જોવા મળે છે જેમાં માત્ર ભેંસની સંખ્યા સૌથી વધુ ૨,૯૧,૯૩૦ હતી. જ્યારે બકરીની સંખ્યા ૧,૩૨,૧૫૧ અને ઘેટાની સંખ્યા ૧,૧૦,૧૩૩ નોંધાયેલી છે. જ્યારે તાલુકાની વાત કરીએ તો જિલ્લામાં પ્રથમ ક્રમે તળાજામાં ૧,૭૮,૪૧૬ પાલતુ પશુઓ નોંધાયા છે. જ્યારે ક્રમશઃ મહુવામાં ૧,૩૭,૫૦૯, ભાવનગરમાં ૮૮,૨૮૫, સિહોરમાં ૮૨,૦૪૫, વલ્લભીપુરમાં ૭૬,૦૮૬૩, પાલિતાણામાં ૬૯,૯૨૬, ઘોઘામાં ૬૭,૦૬૧, જેસર ૫૫,૬૦૨, ઉમરાળામાં ૨૫,૭૨૫ અને ગારિયાધારમાં ૨૪,૧૯૫ પશુઓ જેમાં કેટલ, ભેંસ, બકરી, ઘેટા અને ઉંટનો સમાવેશ થાય છે. જે આંકડા ગત પશુ ગણતરીના છે. જે વાટે પાંચ વર્ષ પુનઃ ગણતરીની પ્રક્રિયા પણ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તે પૂર્ણ પણ થઇ ચુકી છે જેનો રિપોર્ટ બે માસ થવા છતા હજુ તંત્રએ જાહેર કર્યો નથી. સ્વાભાવિક આ આંકડામાં વધારો નોંધાયો હોવાનું બિનસત્તાવાર સુત્રોમાંથી જણાયું છે.
આ વખતની ગણતરીમાં પાલતુ અને રખડતા કુતરાનો પણ ડેટા ઉમેરાશે
ભાવનગર જિલ્લામાં વર્ષ ૧૯-૨૦ના સર્વે મુજબ કુલ ૪૬,૪૨૪ રખડતા કુતરા નોંધાયા હતાં. જો કે, બદલાતા જમાના સાથે ઘરમાં અવનવી બ્રીડના કુતરા પાળવાની ફેશન બની છે ત્યારે સંભવતઃ આ વખતે પાલતુ અને રખડતા બન્ને કુતરાનો સર્વે જાહેર થાય તેવું જણાયું છે.










