Pahalgam attack: નેશનલ ઈન્વેસ્ટેગેશન એજન્સી (NIA) એ જનતાને જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા સંબંધિત કોઈપણ માહિતી તસવીરો અથવા વીડિયો શેર કરવા અપીલ કરી છે. NIA એ તેના માટે એક ફોન નંબર પણ જારી કર્યો છે, જેના પર સંપર્ક કરી માહિતી શેર કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ તૈયારી
NIAની અપીલ
NIA એ જનતાને અપીલ કરી છે કે, જો તમારી પાસે પહલગામ હુમલા સંબંધિત કોઈપણ માહિતી, ફોટો કે વીડિયો હોય તો તેઓ તાત્કાલિક એજન્સીનો સંપર્ક કરે. NIA એ તેના સોશિયલ મીડિયા અને વેબસાઇટ દ્વારા લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, તમે આ મોબાઇલ નંબર – 9654958816 અને લેન્ડલાઇન 011-24368800 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: પાકિસ્તાની બર્બરતાઃ જમ્મુ-કાશ્મીર LOC પર આડેધડ ગોળીબારમાં 15 નાગરિકોના મોત, 43 ઘાયલ
NIA કરી રહી છે પહલગામની તપાસ
નોંધનીય છે કે, NIA પહલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે.