![]()
Narmada News: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીન સંબંધિત વર્ષો જૂના વિવાદાસ્પદ કેસમાં આજે (23મી જૂન) રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આવ્યો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.
શું હતો સમગ્ર વિવાદ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં જંગલ ખાતાની જમીન અન્ય લોકોના કબજાને લઈને વન વિભાગ અને સ્થાનિકો વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો હતો. આ વિવાદમાં જંગલ ખાતાની જમીન સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરવા તેમજ કચેરીની કામગીરીમાં અવરોધ ઊભો કરવાના ગંભીર આક્ષેપો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય લોકો સામે ગુનો નોંધાયો હતો. હવે આ મામલે આજે (23મી જૂન) રાજપીપળા સેસન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આવ્યો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.










