Maharashtra News : મહારાષ્ટ્રના દાદર સ્થિત શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પ્રમુખોની આજે (17 મે) બેઠક યોજાઈ હતી. આ દરમિયાન તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા તણાવ સહિત અનેક મુદ્દે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવએ કહ્યું કે, અમે દેશના વિરુદ્ધમાં નથી, પરંતુ સરકારના વિરોધમાં જરૂર છીએ.
‘એક સમયે દેશમાં ભાજપ નહીં રહે, પરંતુ કાશ્મીર આપણું જ રહેશે’
સૂત્રોના જણાવ્યા મુજબ, બંધ રૂમમાં યોજાયેલી શિવસેના યુબીટી (Shiv Sena UBT)ની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે, ‘કાશ્મીર અમારું છે, કાશ્મીર કાલે પણ અમારું હતું, આજે પણ અમારું છે અને કાલે પણ અમારું રહેશે.