![]()
Kailash Mansarovar Yatra: પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વારા સૌભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી
બંને રુટ પર થશે માન સરોવર યાત્રા
વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જૂનથી ઓગસ્ટની દરમિયાન 50-50 યાત્રાળુના કુલ 15 ગ્રુપને માનસરોવરની યાત્રા માટે રવાના કરાશે. તેમાથી 50-50ના પાંચ યાત્રીઓનું ગ્રુપ લિપુલેખના રસ્તે માનસરોવર પહોંચશે, જ્યારે 50-50 યાત્રાળુઓ 10 ના ગ્રુપની અલગ અલગ સમયે નાથુ લા રુટથી રવાના થશે. એવું પણ જાણવા મળ્યું છે કે, બંને માર્ગો પર કેટલીક હદ સુધી કાર દ્વારા પહોંચવા માટે રસ્તો બરોબર બનાવવામાં આવ્યા છે, તેથી મુસાફરોએ ખૂબ જ ઓછું અંતર ચાલવું પડશે.
લોટરી સિસ્ટમ દ્વારા નીકાળવામાં આવે છે નામ
અહીં એક કાર્યક્રમમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોટરી સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલા મુસાફરોના નામ જાહેર કર્યા. વિદેશ મંત્રાલયનો દાવો છે કે લોટરી સિસ્ટમ કમ્પ્યુટર આધારિત છે, જે સંપૂર્ણપણે પારદર્શક છે.
આ પણ વાંચો : ‘વક્ફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર દાન છે’, કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ
આ વર્ષે કુલ 5561 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.
તેમાં 4024 પુરુષો અને 1537 મહિલાઓનો સમાવેશ થાય છે.
તેમાંથી 750 મુસાફરોની પસંદગી કરવામાં આવી છે.










