Rahul Gandhi Wrote Letter to PM Modi: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં રાહુલ ગાંધીએ પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત પુંછ અને અન્ય વિસ્તારો માટે રાહત અને પુનર્વસન પેકેજ આપવાની માગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું કે, ‘મેં હાલમાં જ પુંછનો પ્રવાસ કર્યો, જ્યાં પાકિસ્તાનના ગોળીબારમાં ચાર બાળકો સહિત 14 લોકોના દુઃખદ મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
તેમણે લખ્યું કે, આ અચાનક અને અંધાધુંધ હુમલાએ સામાન્ય લોકોમાં તબાહી મચાવી છે. મોટી સંખ્યામાં ઘર, દુકાનો, શાળા અને ધાર્મિક સ્થળ નષ્ટ થઈ ગયા છે.