![]()
Historic initiative at AIIMS: દિલ્હીમાં એક ઐતિહાસિક પહેલ થઈ છે. એઈમ્સ ( AIIMS)ને પહેલીવાર ભ્રૂણ દાનમાં મળ્યું છે. આ પહેલ એક પરિવારના દુ:ખને સમાજ અને વિજ્ઞાનની તાકાતમાં બદલવાનું ઉદાહરણ છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમાં મહિને ગર્ભપાત થઈ ગયું હતું. આ મુશ્કેલ સમયમાં પરિવારે ભ્રૂણને સંશોધન અને શિક્ષણ માટે એઈમ્સને દાન કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: 12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી
સવારથી સાંજ સુધી સંઘર્ષ અને પછી રચાયો ઈતિહાસ
વંદના જૈનના પરિવાર સવારે 8 વાગે દધીચી દેહદાન સમિતિનો સંપર્ક કર્યો. સમિતિએ ઉપપ્રમુખ સુધીર ગુપ્તા અને સંયોજક જી.પી. તાયલને તાત્કાલિક કાર્યવાહી કરતાં એઈમ્સને એનાટોમી વિભાગના પ્રમુખ ડો. એસ.બી રાય અને તેમની ટીમ સાથે વાતચીત કરી હતી. ટીમના સહયોગથી દિવસભર દસ્તાવેજ વગેરે ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી સાંજે 7 વાગે એઈમ્સમાં તેમનું પહેલું ભ્રુણ દાનમાં મળ્યું હતું.
ભ્રૂણ દાનથી શું ફાયદો થશે
ભ્રૂણ દાનથી માત્ર મેડિકલ પ્રક્રિયામાં જ નહીં, પરંતુ આવનારા સમયમાં સંશોધન અને શિક્ષણ માટે એક મુખ્ય આધાર છે. AIIMSમાં એનાટોમી (શરીરરચના)વિભાગના પ્રોફેસર ડો. સુબ્રત બાસુએ જણાવ્યું કે, માનવ શરીરના વિકાસને સમજવા માટે એક ભ્રૂણ અધ્યયન ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સંશોધન અને શિક્ષણમાં, આપણને શરીરના વિવિધ ભાગોનો વિકાસ અલગ અલગ સમયે કેવી રીતે થાય છે તે જોવાની તક મળે છે. ઉદાહરણ તરીકે, જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેનું નર્વસ સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત થતું નથી. તે બે વર્ષ પછી ધીમે ધીમે વિકસે છે. આવા કિસ્સામાં અભ્યાસ કરવાથી મેડિકલ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનિકોને ઊંડાણપૂર્વક સમજવાની તક મળે છે.
આ પણ વાંચો: નેપાળમાં Gen-Z આંદોલનમાં હિંસા: 20ના મોત, 100 ઈજાગ્રસ્ત; PMના રાજીનામાંની માંગણી
આ સંશોધન વૃદ્ધત્વની પ્રક્રિયાને સમજવામાં પણ મદદ કરશે
ડો. બાસુ આગળ કહે છે કે, આ સંશોધન વૃદ્ધત્વની પ્રક્રિયાને સમજવામાં પણ મદદ કરશે. ગર્ભમાં પેશીઓ વધતી રહે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં પેશીઓને નુકસાન થવાનું શરૂ થાય છે. જો આપણે સમજી શકીએ કે કયા પરિબળો પેશીઓને વૃદ્ધિ આપે છે અને કયા તેમને નુકસાન પહોંચાડે છે, તો તે ભવિષ્યમાં વય-સંબંધિત ઘણા રોગોના ઉકેલો શોધવામાં મદદ કરશે.
તેઓ બીજું એક મહત્વપૂર્ણ પાસું સમજાવે છે કે બાળકોમાં એનેસ્થેસિયાનો ઉપયોગ એક મોટો પડકાર છે. નાના બાળકો બોલી શકતા નથી, તેમને કેટલી માત્રા આપવી તે બરાબર જાણવું મહત્ત્વપૂર્ણ છે. ગર્ભ અભ્યાસ આપણને સમજવામાં મદદ કરે છે કે બાળકનું કયું અંગ કયા તબક્કે કેટલું વિકસિત છે અને તેની સુરક્ષિત રીતે સારવાર કેવી રીતે કરી શકાય છે.










