![]()
– 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બહારગામ જવું પડતું હતું
– આગામી 21 જાન્યુ.થી જેઈઈની પ્રથમ અને 2 એપ્રિલથી દ્વિતિય પરીક્ષાનું આયોજન જાહેર
ભાવનગર : એન.ટી.એ. દ્વારા જેઈઈ મેઈન્સની પરીક્ષા ૨૧ જાન્યુારીથી પ્રથમ અને ૨ એપ્રિલથી દ્વિતીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. તો આ સાથે છેલ્લા ત્રણેક વર્ષથી સેન્ટર વિહોણા ભાવનગરને આ વર્ષથી સેન્ટર ફાળવાતા શાળા સંચાલકો અને વાલીઓમાં પણ રાહત જણાઈ હતી.
ધો.૧૨ સાયન્સ બાદ એન્જીનીયરીંગ ક્ષેત્રે કારકિર્દી બતાવવા માંગતા છાત્રો માટે જેઈઈની પરીક્ષા મહત્ત્વ પૂર્ણ હોય છે. જે પરીક્ષામાં ભાવનગરથી સરેરાશ ત્રણ હજાર જેટલા છાત્રો ફોર્મ ભરતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી કોઈપણ કારણોસર ભાવનગરને પરીક્ષા સેન્ટર ફાળવવામાં નહીં આવતા ભાવનગરના વિદ્યાર્થીઓને અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જવુ પડતું હતું. જે તે મુંગો વિરોધ પણ શાળા સંચાલકો અને વાલીઓમાં પ્રવર્ત્યો હતો. જોકે જાણવા મળ્યા મુજબ નવા સેન્ટરોની યાદીમાં આ વર્ષે ભાવનગરનો સમાવેશ કરાયો છે. જેથી ભાવનગરના વિદ્યાર્થીઓ સ્થાનિક કક્ષાએ આ પરીક્ષા આપી શકશે. તો આ સાથે જેઈઈની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. જે મુજબ આગામી ૨૧ જાન્યુઆરીથી ૩૦ જાન્યુઆરી દરમ્યાન જેઈઈ મેઈનની પ્રથમ પરીક્ષા યોજવામાં આવશે તો દ્વિતિય પરીક્ષા એપ્રિલમાં તા. ૨, ૩, ૪, ૭, ૮, ૯ દરમ્યાન લેવામાં આવશે. જેમાં જાન્યુારીની પરીક્ષાથી સંતુષ્ટ ન હોય તે છાત્ર એપ્રિલમાં સ્વૈચ્છીક પરીક્ષા આપી શકશે. આમ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થવાની સાથે ભાવનગર સેન્ટર ફાળવાતા ખાસ કરીને વાલીવર્ગમાં હાશકારો અનુભવાની હતો.
પરીક્ષા દરમ્યાન કેલ્ક્યુલેટર એલાઉન્સ નથી : એન.ટી.એ.
જેઈઈ મેીન ૨૦૨૬ની આગામી ૨૧ જાન્યુ.થી યોજાનારી પરીક્ષામાં ઓનલાઈન કેલ્કયુલેટરનો ઉપયોગ કરવાની છુટ આપવાની બાબતે વ્યાપક ચર્ચા જાગી છે. જોકે આ અંગે ભાવનગર સ્થાનિક કો-ઓર્ડીનેટર સાથે થયેલ પૃચ્છા દરમ્યાન આ બાબત ટાઈપ મીટેકથી થયેલ હોવાનું અને ગુગલ મેલેજ મારફત પણ એનટીએ દ્વારા ઓનલાઈન કેલ્કયુલેટર એલાઉડ ન હોવાનું જણાયું છે. જોકે આ એપ્લાય કરાયુ હોત તો વિદ્યાર્થીઓનો ખાસ્સા સમયની બચત થઈ શકી હોત.










