
Maharashtra : મહારાષ્ટ્રના નાગપુરમ જિલ્લામાં આજે (9 ઓગસ્ટ) એક મોટી દુર્ઘટના બની છે. અહીં ખાપરખેડાથી કોરાડી મંદિર માર્ગ પર બની રહેલી એક નિર્માણાધીન બિલ્ડિંગની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. જ્યારે અહીં કામ ચાલી રહ્યું હતું, ત્યારે કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. રિપોર્ટ મુજબ કાટમાળ નીચે દબાયેલા તમામને બહાર કાઢી લેવાયા છે અને 15-16 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે










