gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2026
in GUJARAT
0 0
0
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
0
VIEWS
Share on FacebookShare on Twitter


એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ અને સાયકોલોજી બોર્ડ ના ચેરમેન દિનેશ ભાઈ ને માનસિક રોગ ના ડૉક્ટર ને બતાવાની જરુર છે
#શિક્ષણ જગતને કલંકિત કરનારું માનસિક પ્રદૂષણ અને વિદ્યાર્થીઓનું અપમાન ક્યારેય સહન નહીં થાય – દિયાબા રાજપૂત.

જૂનાગઢની એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને સાયકોલોજી બોર્ડના ચેરમેન દિનેશ ડઢાણીયા દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદોલન અને દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાના હક્ક માટે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા દેશના ભાવિ યુવાનોને ‘રાષ્ટ્રવિરોધી’, ‘દેશને તોડવાનો પ્રયાસ કરનાર’, તેમજ ‘પરદેશી ફંડિંગ’ અને ‘કોકરોચ-કાગડા પાર્ટી’ જેવા અત્યંત હલકા શબ્દોથી નવાજવામાં આવ્યા છે. NSUI અને નેતા દિયાબા રાજપૂત આ શરમજનક નિવેદન સામે સખ્તમાં સખ્ત શબ્દોમાં ધિક્કાર અને વિરોધ નોંધાવે છે.

જ્યારે આ નિવેદનને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો અને વિદ્યાર્થીઓનો આક્રોશ જોયો, ત્યારે આ પદાધિકારીએ કાયરતાપૂર્વક પોતાની પોસ્ટ ડિલીટ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. જે વ્યક્તિ માનસિક રીતે આટલી સંકુચિત હોય, તે શિક્ષણ જગતમાં બેસીને નવી પેઢીને શું દિશા આપશે?

દિયાબા એ જણાવ્યું કે જ્યારે દેશના ૨૧ વિદ્યાર્થીઓ એ સુસાઇડ કર્યું ત્યારે તમે ક્યાં ગયા હતા? આજ હજારો વિદ્યાર્થીઓ માનસિક રોગ ના ડૉક્ટર પાસે ઈલાજ કરાવે છે ત્યારે આજે જે લોકો વિદ્યાર્થીઓના ન્યાયી અને શાંતિપૂર્ણ આંદોલનને ‘દેશદ્રોહી’ અને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવવાની દુષ્પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમને NSUI અને દિયાબા રાજપૂતનો સીધો સવાલ છે. જ્યારે આ દેશ અને રાજ્યમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સિસ્ટમની નિષ્ફળતાથી કંટાળીને દેશના ૨૧ જેટલા યુવા વિદ્યાર્થીઓ એ આત્મહત્યા (સુસાઇડ) કરી હતી, ત્યારે આ સત્તાધીશો અને તેમની ચમચાગીરી કરતી ભારતીય જનતા પાર્ટી ક્યાં છુપાઈને બેઠી હતી? શું તે યુવાનોના મૃત્યુનો અવાજ તમને નહોતો દેખાતો? આજદિન સુધી રાજ્યમાં અને દેશમાં એક પછી એક એમ ૩૪ જેટલા પેપર લીક થયા છે, લાખો હોશિયાર વિદ્યાર્થીઓની મેરિટવાળી મહેનત પર પાણી ફરી વળ્યું છે, તેમના સપનાઓ રોળાઈ ગયા છે ત્યારે આ ભાજપના નેતાઓ અને આવા સિન્ડિકેટ સભ્યોની જીભ કેમ સીવાઈ ગઈ હતી? ત્યારે કોઈ ખુલાસો કેમ ન કરવામાં આવ્યો?

જ્યારે ભ્રષ્ટ વ્યવસ્થા સામે યુવાનોનો અવાજ બુલંદ થાય છે, ત્યારે આ સત્તાના નશામાં ચૂર થયેલા પ્યાદાઓ વિદ્યાર્થીઓને બદનામ કરવા માટે બેફામ નિવેદનોબાજી કરવા બેસી જાય છે.

યુવાનો દેશનું ગૌરવવંતુ ભવિષ્ય છે, તેમને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો – દિયાબા રાજપૂત. દેશના યુવાનો એ કોઈની રાજકીય જાગીર નથી, પરંતુ આ દેશનું સાચું ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્ય છે. દિલ્હીના જંતર-મંતર ખાતે કે દેશના અન્ય સ્થળોએ બેસીને પોતાના શૈક્ષણિક અધિકારોની લડાઈ લડી રહેલા વિદ્યાર્થીઓ ક્યારેય દેશદ્રોહી હોઈ શકે નહીં. આવા તેજસ્વી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું અને તેમની ન્યાયી લડાઈને કુચલવાનું પાપ ભાજપના ઈશારે ચાલી રહેલા આ તત્વોએ બંધ કરવું જોઈએ.

દેશની નવી પેઢીને ખોટા અને નફરત ફેલાવતા સંદેશા આપીને શૈક્ષણિક વાતાવરણને ડહોળવાનું બંધ કરો. જે યુવાનો આવતીકાલે આ દેશનું નેતૃત્વ સંભાળવાના છે, તેમને આજે આ પ્રકારે ‘દેશદ્રોહી’ ઠેરવવા એ સીધી રીતે રાષ્ટ્ર સાથે ગદ્દારી સમાન છે.

# ભાજપની ચમચાગીરી બંધ કરો: દિયાબા એ જણાવ્યું કે કોના આશીર્વાદથી ખુરશી પર બેઠા છો તે જગજાહેર છે. આજે જે લોકો સત્તાના જોરે વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા છે અને ભાજપની અંધ ભક્તિ કે ચમચાગીરીમાં મશગુલ છે, તેમણે એ ભૂલવું ન જોઈએ કે તેઓ કોના રાજકીય આશીર્વાદ અને કૃપાથી આ ઉચ્ચ હોદ્દાઓ અને ખુરશીઓ પર બેઠા છે.

ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી સારી રીતે જાણે છે કે કઈ રાજકીય છત્રછાયા હેઠળ આવા બેજવાબદાર લોકો શિક્ષણ જગતને બાનમાં લઈને બેઠા છે. પ્રજાના ટેક્સના પૈસે મળેલા હોદ્દાનો દુરુપયોગ કરીને શાસકોને ખુશ કરવાની આ ગુલામગિરી હવે ચલાવી લેવામાં નહીં આવે.

દિયાબા માંગ કરતા જણાવ્યું છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય, સાયકોલોજી બોર્ડના ચેરમેન અને પ્રિન્સિપાલ દિનેશ ઉડાધિયાને તેમના તમામ શૈક્ષણિક અને સત્તાવાર હોદ્દાઓ પરથી તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે. તેમજ વિદ્યાર્થીઓ વિરુદ્ધ અપશબ્દો વાપરીને તેમનું અપમાન કરવા બદલ તાત્કાલિક ધોરણે જાહેરમાં માફી માંગવામાં આવે. અને શૈક્ષણિક સંસ્થાઓના પદનો દુરુપયોગ કરીને યુવાનો પર રાજકીય દબાણ લાવનારા આવા અધિકારીઓ સામે ફોજદારી અને કડક તપાસ કરવામાં આવે.

જો આ બાબતે ત્વરિત અને સખ્ત પગલાં નહીં લેવામાં આવે, તો NSUI અને દીયાબા રાજપૂતની આગેવાની હેઠળ સમગ્ર રાજ્યમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્ર અને શાસકોની રહેશે. તેવું દિયાબા રાજપૂતે યાદીના અંતમાં જણાવ્યું છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ...

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

1 year ago
વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

8 months ago
રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

1 year ago
ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …

ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસેથી કારમાંથી ૪.૭૧ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 71 lakh seized …

1 year ago
વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

વડોદરાની રત્નાકર બેંકના ખાતાનો ઓનલાઈન ઠગાઈમાં ઉપયોગ, 2 મહિનામાં 7.58 કરોડના ટ્રાન્જેક્શન | Vadodaras…

8 months ago
રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

રેટિંગ આપી સરળ પૈસા કમાવવાની લાલચમાં ન ફસાતા, કોલેજિયન વિદ્યાર્થિની કરી બેઠી મોટું નુકસાન | If you w…

1 year ago
ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …

ભાયાવદરના 2 જોખમી પુલો પરની રેલિંગ હટાવી દેતાં અકસ્માતનો ભય | Fear of accidents as railings removed …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News