![]()
– દિલ્હી વિસ્ફોટની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે, સામાન્યત: દરેક બાબતમાં અને વિશેષત: યુદ્ધોમાં તટસ્થ રહેતાં સ્વિત્ઝર્લેન્ડે કરેલી ઉગ્ર ટીકાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે
નવી દિલ્હી : સ્વિત્ઝર્લેન્ડનાં ભારત સ્થિત રાજદૂત માયા તિસાફીએ સોમવારે સાંજે દિલ્હીમાં થયેલા વિસ્ફોટો અંગે પોતાની અને પોતાના દેશવતી ભારત પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું હતું કે આ ત્રાસવાદી હુમલાને તથા દરેક પ્રકારના ત્રાસવાદનો સ્વિત્ઝર્લેન્ડ વિરોધ કરે છે, અને ત્રાસવાદને વખોડી કાઢે છે. સ્વિત્ઝર્લેન્ડની સરકાર અને સ્વિત્ઝર્લેન્ડની જનતા પણ આ કરૂણ ઘટનામાં ભારતની સાથે જ છે.
સામાન્યત: મહ્દ અંશે મૌન સેવતાં દુનિયાના સૌથી વધુ તટસ્થ દેશનાં રાજદૂતે પણ આ નપુંસક અને પાપીષ્ટ કૃત્યની ઉગ્ર ટીકા પ્રત્યે સૌ કોઇનું ધ્યાન જાય તે સહજ છે.
આ ઉપરાંત આર્જેન્ટિનાના ભારત સ્થિત રાજદૂત મેરિયાનો કૉસિનોએ પણ દિલ્હી બોમ્બ બ્લાસ્ટને વખોડી કાઢ્યો છે. તેઓએ પોસ્ટ ટ પર લખ્યું છે જૂનાં દિલ્હીમાં સોમવારે થયેલા બોમ્બ વિસ્ફોટની સત્તાવાર માહિતી આપી હતી. આર્જેન્ટીના દરેક પ્રકારના ત્રાસવાદને વખોડી કાઢે છે. અને આ દુ:ખદ ઘડીમાં આર્જેન્ટીનાની સરકાર તથા તેની જનતા ભારતની સાથે ઉભી રહી છે.










