
ગંભીરા બ્રિજ તૂટતા યુવાનોની રોજગારીનો પ્રશ્ન વિકટ બન્યો
વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઉભી કરવા માંગ : ઉકેલ નહીં આવે તો કલેક્ટરની ઓફિસે ઘેરાવો કરવાની ચિમકી
આણંદ: આણંદ જિલ્લા અને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ હવે આણંદ જિલ્લાના હજારો યુવકોને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે. ઉમેટા બ્રિજ બંધ કરી દેતા હવે પાદરા જીઆઇડીસીમાં જવું ઓછા પગારમાં મુશ્કેલ બન્યું છે. ત્યારે આણંદ અને વડોદરા જિલ્લાના યુવકોએ ગંભીરા ખાતે એકત્ર થઈને વૈકલ્પિક વ્યવસ્થા ત્વરિત ઉભી કરવા માંગણી કરી હતી.










