
મોદીએ તમિલનાડુમાં ચોલ રાજાના માનમાં સ્મારક સિક્કો જારી કર્યો
બ્રિટનના મેગ્નાકાર્ટા પહેલા ભારતે વિશ્વને લોકશાહીના પાઠ ભણાવ્યા : મોદીએ પૌરાણિક કુદાવોલાઇ સિસ્ટમ યાદ કરી
ચેન્નાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ઓપરેશન સિંદૂરના ફરી વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સાબિત કરી દીધુ છે કે આતંકવાદીઓ અને ભારતના દુશ્મનો માટે કોઇ જ સુરક્ષીત સ્થળ નથી. તમિલનાડુના શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતી પર આયોજીત કાર્યક્રમમાં ભાગ લેતા મોદીએ કહ્યું હતું કે ચોલ રાજાઓએ શ્રીલંકા અને માલદિવ્સ જેવા પ્રાંતો સાથે વ્યાપારિક સંબંધ વધાર્યા હતા.










