![]()
Ahmedabad Vatva News : અમદાવાદના વટવા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સક્રિય ‘વટવા ક્લીન એન્ડ ગ્રીન ફાઉન્ડેશન’ દ્વારા દર વર્ષની જેમ પયગમ્બર સાહેબના જન્મદિવસ ઈદ એ મિલાદના અવસરે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને ભારે ઉત્સાહ સાથે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ધોધમાર વરસાદ, સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ, રિવરફ્રન્ટ ડૂબ્યો, પોળોમાં 6 લોકો ફસાયા
1500 લોકોએ કર્યું રક્તદાન
મળતી માહિતી અનુસાર વટવા વિસ્તારમાં આવેલી એક સ્કૂલના પરિસરમાં આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સિવિલ બ્લડ બેન્ક, એસવીપી બ્લડ બેન્ક, રેડ ક્રોસ સોસાયટી અને ક્લિન એન્ડ ગ્રીન ફાઉન્ડેશનના લોકો આયોજનમાં જોડાયા હતા. જેમાં ઈદ-એ-મિલાદના અવસરે મુસ્લિમો સહિત તમામ ધર્મના 1500થી વધુ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મદદરૂપ થયા હતા.










