![]()
રાજ્યમાં છેલ્લા દસ દિવસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતા એસટી બસોના મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
તાપમાન સતત ૪૦થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેતા બસની બારીઓમાંથી આવતા સીધા તડકાને કારણે મુસાફરો જાણે શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને બારી પાસે બેઠક મળતા મુસાફ રોને ગરમીથી બચવા જાતજાતના ઉપાય કરવા પડેછે.
મુસાફરોનું કહેવું છે કે કાળઝાળ ગરમીમાં બારી પાસે બેસવું મુશ્કેલ બની ગયું છે. સીધા તડકાથી બચવા કેટલાક મુસાફરો રૂમાલ, દુપટ્ટા, કાગળ અથવા કંપડાંનો સહારો લઈ રહ્યા છે. મુસાફરોમાં બસની બારીઓ પર પડદા લગાવવાની માગ ઊઠી છે, જેથી ગરમીથી થોડી રાહત મળી શકે.
ખાસ કરીને પાસધારક વિદ્યાર્થી-નોકરિયાતવર્ગ, વૃદ્ધ મહિલાઓ અને બાળકોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
હાલમાં માત્ર સ્લીપર અને વોલ્વો બસોમાં જ પડદાની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે સામાન્ય એક્સપ્રેસ અને લોકલ બસોમાં આવી વ્યવસ્થા ન હોવાથી મુસાફ રોને તડકામાં શેકાવું પડેછે.
તાજેતરમાં જ જીએસઆરટીસી દ્વારા પેસેન્જર ફીડબેક અને પર્ફોમન્સ રેટિંગની પ્રક્રિયા હાથ ધરાતા સોશ્યલ મીડિયામાં મુસાફરોએ વિવિધ મુદ્દાઓને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં ટિકિટિંગ સંબંધિત કેટલીક સુવિધાઓને બિરદાવવામાં આવી હતી.જો કે પરીક્ષાના સમયમાં બસો કેન્સલ થવી, કેટલાક રૂટ પર બસો સમયસ૨ ન મળવી તેમજ બસો યોગ્ય સ્ટેન્ડના બદલે રસ્તા વચ્ચે ઊભી રહેતા અકસ્માતની ભીતિ જેવી સમસ્યાઓ જણાવાઈ છે.









