![]()
BJP Leader Pitabash Panda Murder Case : ભાજપના નેતા અને વકીલ પીતાબશ પાંડાના હત્યાના કેસમાં ઓડિશાના બેરહામપુરના પૂર્વ ધારાસભ્ય અને બીજૂ જનતા દળ (BJD)ના ગંજામ જિલ્લાના અધ્યક્ષ વિક્રમ પાંડાની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશા પોલીસે આજે (22 ઓક્ટોબર) પાંડાની ધરપકડ કરી હોવાની પુષ્ટી કરી છે. તેની ધરપકડ થતાં સમર્થકો નારાજ થયા છે અને ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
બે હુમલાખોરોએ પીતાબશ પર આડેધડ ગોળીબાર કર્યો હતો
વાસ્તવમાં છ ઓક્ટોબરની મોડી રાત્રે બે હુમલાખોરોએ પીતાબસની ગોળી મારીને હત્યા કરી હતી. બેરહામપુર સ્થિત તેમના ઘર પાસે જ તેમના પર આ હુમલો થયો હતો. પીતાબશ ઓડિશાના બાર કાઉન્સિલના સભ્ય હતા. તેમની હત્યા થયા બાદ લોકોએ કાયદો-વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા.
વિક્રમ સહિત 9 લોકોની ધરપકડ
ઓડિશા પોલીસે હત્યાની તપાસ કરતા વિક્રમ પાંડાએ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કહ્યું કે, વિક્રમે મંગળવાર (21 ઓક્ટોબર)ની રાત્રે પોતાના નિવાસ્સથાન પર ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું, પોલીસે વિક્રમ ઉપરાંત બેહરામપુરના પૂર્વ મેયર શિબા શંકર દાસ, એક પૂર્વ કોર્પોરેટર અને 9 અન્ય લોકોની પણ ધરપકડ કરી હતી અને પછી તમામ આરોપીઓને બેરહામપુરની કોર્ટમાં લવાયા હતા.
આ પણ વાંચો : ઈન્ડિગોની ફ્લાઈટના ફ્યુઅલ ટેન્કમાં લીકેજ, શ્રીનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
ચાર હુમલાખોરો હજુ પણ ફરાર
હત્યામાં સામેલ હુમલાખોરો સહિત ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે આશંકા છે કે, ખાનગી દુશ્મની, રાજકીય કારણો અને વેપાર સંબંધીત વિવાદના કારણે પીતાબશની હત્યા કરવામાં આવી છે. પોલીસે મૃતક અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેની લેવડ-દેવડનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારો પણ દરિયા કિનારા પાસેથી જપ્ત કર્યા છે.
ભાજપ નેતાની હત્યાથી રાજ્યમાં હોબાળો
ભાજપ નેતાની હત્યા થયા બાદ રાજ્યભરમાં હોબાળો થયો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ હત્યાની તપાસ કરવા માટે એસઆઈટી રચવાની અને નિર્ધારીત સમયગાળામાં તપાસ પૂર્ણ કરવાની માંગ કરી છે. હત્યા મામલે રાજ્યભરના વકીલો હડતાલ પર ઉતરી ગયા છે. વિવાદ વધ્યા બાદ મુખ્યમંત્રી મોહન ચરણ માઝી (Odisha CM Mohan Charan Majhi)એ હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવાનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો : RJD ઉમેદવારની ધરપકડથી રાજકારણ ગરમાયું, ઝારખંડમાં પોલીસ કાર્યવાહીથી મહાગઠબંધનમાં ખેંચતાણ










