![]()
Jamnagar Suicide : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં ટોડા સોસાયટીમાં રહેતી એક કોલેજીયન યુવતિએ પોતાના ભણતરના ટેન્શનમાં આવી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં ટોડા સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી રાધિકાબેન રાજેશભાઈ બાબરીયા નાની 20 વર્ષની કોલેજીયન યુવતી એ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા રાજેશભાઈ પ્રેમજીભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરતા કાલાવડ ટાઉનના એએસઆઈ વીડી ઝાપડીયા બનાવના સ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, જ્યાં રાધિકાબેનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતક કોલેજીયન યુવતી કે જે અભ્યાસ બાબતે ખૂબ જ ચિંતા કરતી હતી, અને તેના કારણે બીપીની તકલીફ પણ થઈ ગઈ હતી. તેણીએ ભણવાની ચિંતામાં કળા પાસે ખાઈ લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.










