
– ઈસ્લામ નહીં રહે તેમ હિન્દુઓ ક્યારેય કહેતા નથી : સંઘ પ્રમુખ
– ભાજપ પ્રમુખની પસંદગીમાં સંઘની કોઈ ભૂમિકા નહીં, અમારે નક્કી કરવાનું હોત તો પહેલા જ નામ પસંદ થઈ જાત : સંઘ
– હિન્દુ પરિવારોમાં ત્રણ બાળકોની નીતિ યોગ્ય, ધર્માંતરણ, ઘૂસણખોરીથી દેશમાં વસતીનું અસંતુલન વધ્યું : મોહન ભાગવત
નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન રામના મંદિરની સ્થાપના બાદ હવે દરેક મસ્જિદો નીચે મંદિરો શોધવાની જરૂર નથી. એ જ રીતે કાશી અને મથુરામાં મસ્જિદોની જગ્યાએ ભગવાન શિવ અને કૃષ્ણના મંદિરો બનાવવાના કેટલાક હિન્દુ સંગઠનોના આંદોલનને સંઘ સમર્થન કરતું નથી, પરંતુ સ્વયંસેવકો ઈચ્છે તો તેઓ પોતાની રીતે આવા આંદોલનોમાં જોડાઈ શકે છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ પ્રમુખની પસંદગીમાં સંઘની કોઈ ભૂમિકા નથી.










