
– હાલમાં વીમા પ્રિમિયમ પર 18 ટકા જીએસટી વસૂલ કરાય છે
– વ્યકિતગત વીમા પોલિસીઓ પરનો જીએસટી દૂર કરાશે તો વાર્ષિક આવકમાં રૂ. 9700 કરોડનો ઘટાડો થશે
– આગામી સપ્તાહોમાં કેન્દ્ર સરકાર જીએસટી સુધારાઓ અંગે રાજ્યો સાથે સંમતિ સાધવાનું કાર્ય કરશે : નિર્મલા સિતારમન
નવી દિલ્હી : કેન્દ્રે જીવન અને આરોગ્ય વીમા પોલિસીને જીએસટીમાંથી મુક્તિ આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે તેમ બિહારના નાયબ મુખ્યપ્રધાન અને વીમા અંગે રચાયેલ મંત્રીઓના જૂથ (જીઓએમ)ના સંયોજક સમ્રાટ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું છે.










