![]()
DK Shivakumar: કર્ણાટકમાં સત્તા માટે અંદર ખાને સમરાંગણ ચાલી રહ્યું છે. CM સિદ્ધારમૈયાના સમર્થકો ઇચ્છી રહ્યા છે તે 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ પર યથાવત રહે. જ્યારે ડીકે શિવકુમારના સમર્થકો તેમણે મુખ્યમંત્રી બનાવવાની તીવ્ર માગ કરી રહ્યા છે. તો બીજી તરફ ત્રીજો મોરચો પણ એક્ટિવ થઈ ગયો છે. આ વચ્ચે હવે ડીકે શિવકુમારે દિલ્હી કોંગ્રેસના હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. જે બાદ ફરી અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. જો કે શિવકુમારે કહ્યું છે કે આ મુલાકાત હાલ ચાલતા રાજનૈતિક મામલાઓ પર ફોકસ કરવા માટે હતી.
રાજનૈતિક સ્થિતિઓ અંગે ચર્ચા કરી
AICCની બેઠક બાદ શિવકુમારે કહ્યું કે, મને નથી લાગતું કે મારે એ બતાવવાની જરૂર છે કે 10 જનપથની અંદર હું કોને મળ્યો, અમે રસ્તા પર રાજકારણની વાતો કરવા તૈયાર નથી. હું અમારા હાઈકમાન્ડને મળ્યો છું. જે વાત કરવાની હતી તે કરી છે. જેમાં ઘણી ચર્ચાઓ થઈ, મારે એ પણ બતાવવાની જરૂર નથી કે અમે અહીં હાલની રાજનૈતિક સ્થિતિઓ અંગે ચર્ચા કરી, માત્ર હવા લેવા માટે આવ્યા ન હતા.
કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે?
જણાવી દઈએ કે કોંગ્રેસમાં અંદરખાને ડખો ગત નવેમ્બર 2025થી ચાલુ થયો, જ્યારે કર્ણાટક સરકાર તેના પાંચ વર્ષના શાસનકાળની અધવચ્ચે પહોંચી ગઈ. નવા મુખ્યમંત્રી માટે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સાથે ગૃહમંત્રી જી પરમેશ્વર પણ ટોપ લિસ્ટમાં ચર્ચાઈ રહ્યા છે. આ પહેલા કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય ઈકબાલ હુસેને કહ્યું હતું કે, ઓછામાં ઓછા 80 ધારાસભ્યોએ મુખ્યમંત્રીના પદ માટે શિવકુમારનું નામ આગળ ધપાવ્યું છે. ઈકબાલ હુસેને કોંગ્રેસના MLC યતીન્દ્ર સિદ્ધારમૈયાને તેમના પિતા અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પક્ષમાં સતત નિવેદન આપવા માટે ઝાટકણી કાઢી હતી અને તેમણે શિસ્તનું પાલન કરવા પર સૂચન કર્યું હતું.
‘રાજકારણમાં શિસ્ત જરૂરી..’
સાથે એ પણ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય રહેશે. 80-90 MLAsએ હાઈકમાન્ડને શિવકુમારને મુખ્યમંત્રી બનાવાય માટે રજૂઆત કરી છે. કોંગ્રસ એક શિસ્તબદ્ધ પાર્ટી છે માટે તમામ તે પ્રમાણે વર્તન કરવું પડશે. અમને યતીન્દ્ર સિદ્ધારમૈયાનું વાંરવાર પોતાના પિતાનું સમર્થન કરવું અને હાઈ કમાન્ડને શરમમાં મૂકવાએ પસંદ નથી. દરેક પિતા તેના દીકરાની પ્રેમ કરે છે. અને દીકરો પિતાથી પણ રાજકારણમાં આપણે શિસ્ત જાળવીને કામ કરવું પડશે. અન્યને ભડકાવનારા નિવેદનોથી દૂર રહેવું પડશે. ‘
આ પણ વાંચો: 25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
‘અમારા બધાના દિલમાં એક જ વાત છે કે એક વખત શિવકુમારને પણ મોકો મળવો જોઈએ. બધા એ જ ઈચ્છે છે. પણ નિવેદનબાજીથી મુંઝવણ ઊભી ન કરવી જોઈએ. એટલા માટે હાલ બધા ચૂપ છે. કેટલાક લોકો વચ્ચે વચ્ચે બોલી રહ્યા છે. હું અંગત પણે માનું છું કે શિવકુમારને આ જ કાર્યકાળમાં તક મળવી જોઈએ.’










