અમદાવાદ,ગુરુવાર,9 ઓકટોબર,2025
મોટા ઉપાડે બોપલ વિસ્તારને મ્યુનિસિપલ કોર્પોરેશન હદમા પાંચ
વર્ષ પહેલા સમાવાયો હતો.કોર્પોરેશનની બેદરકારીના કારણે સાઉથ બોપલ જેવા પોશ
વિસ્તારમાં છેલ્લા ઘણાં દિવસોથી રોડ ઉપર ગટરના પાણી વહી રહયા છે. આ અંગે સ્થાનિક
રહીશ દ્વારા કોર્પોરેશનમાં ૨૪ ઓનલાઈન ફરિયાદ કરી છતાં સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી
રહી છે.
અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા લોકોને રોડ ઉપર કચરો નહીં
ફેંકવા ઉપરાંત ગંદકી ના કરવા કોર્પોરેશનના અધિકારીઓ સુફીયાણી સલાહ આપતા હોય છે.
રોડ ઉપર કચરો ફેંકનાર કે ગંદકી કરનારા પાસેથી કોર્પોરેશનનુ સોલિડ વેસ્ટ વિભાગ મોટી
રકમ પેનલ્ટી રુપમાં વસૂલ કરવાની સાથે જે તે વિસ્તારમા આવેલુ એકમ સીલ કરવા સુધીની
કાર્યવાહી કરતુ હોય છે.બીજી તરફ ખુદ કોર્પોરેશનના ઈજનેર વિભાગની બેદરકારીના કારણે
સાઉથ બોપલમા આવેલા રોડ ઉપર છેલ્લા એક સપ્તાહથી ગટરના ગંદા પાણી વહી રહયા
છે.સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. રોગચાળો ફેલાવાની સંભાવના વ્યકત કરાઈ
રહી છે. આ પરિસ્થિતિમાં કોર્પોરેશનના હેલ્થ અને સોલિડ વિભાગના ડેપ્યુટી કમિશનર
કે ઝોનના ડેપ્યુટી કમિશનર કયા કારણથી
ઈજનેર વિભાગના બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોમાં
ચર્ચા સાંભળવા મળી રહી છે.દરમિયાન ઝોનના એડીશનલ સિટી ઈજનેર સંજય સુથારે કહયુ, એક સપ્તાહ અગાઉ
૧૨૦૦ એમ.એમ.ડાયાની મેઈન લાઈનમાં બ્રેકડાઉન થયુ હતુ.બ્રેકડાઉનના રીપેરીંગની
મોટાભાગની કામગીરી પુરી કરી લેવાઈ છે. કામગીરી પુરી થયા પછી ડ્રેનેજના પાણી બેક
મારવાની ફરિયાદ ઉકેલાઈ જશે.










