![]()
ગાંધીનગરના સેક્ટર-૨૮માં આવેલી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૨૮માં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ
કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં જૂનાગઢના માંગરોળની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને આપઘાત
કરી લીધો હતો. જે સંદર્ભે હાલ સેક્ટર-૨૧ પોલીસ દ્વારા અકસ્માતે મોત દાખલ કરીને
આપઘાતનું સચોટ કારણ જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૨૮માં આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જુનાગઢ જિલ્લાના
માંગરોળ તાલુકામાં ગોરજ ગામમાં રહેતી ૧૮ વર્ષીય વિદ્યાર્થીની ઈશિતા ભગવાનભાઈ
ડોડીયા અભ્યાસ કરતી હતી. જે ગર્લ્સ હોસ્ટેલના રૃમ નંબર એ-૧૧૦માં રહેતી હતી. આ
દરમિયાન ગઈકાલે સવારના સમયે તેણીએ તેના રૃમનો દરવાજો નહીં ખોલતા સાથી
વિદ્યાર્થીનીઓ દ્વારા તેનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો પરંતુ ખોલ્યો ન હતો. જેથી
આ સંદર્ભે હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા દરવાજો તોડીને
તપાસ કરવામાં આવતા ઈશિતા ફાંસો ખાધેલી હાલતમાં પંખે લટકતી મળી આવી હતી. જે ઘટનાને
પગલે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના વાલીને પણ હોસ્ટેલ
સંચાલકો દ્વારા જાણ કરવામાં આવી હતી. સ્થળ ઉપર પહોંચેલી સેક્ટર-૨૧ પોલીસ દ્વારા
મૃતદેહ નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં
આવ્યો હતો તો આ સંદર્ભે અકસ્માતે મોત દાખલ કરીને તેણીએ કયા કારણોસર આ પગલું ભર્યું
હતું તે જાણવા માટે તપાસ શરૃ કરી છે.










