
નવી દિલ્હી : ૭ ઓગસ્ટથી ભારતની યુએસમાં નિકાસ પર ૨૫% ટેરિફ લાદવાથી રેડીમેડ ગાર્મેન્ટ, ટેક્સટાઇલ, ડ્રગ ફોર્મ્યુલેશન, ઓટો પાર્ટ્સ, રત્નો અને ઝવેરાત અને દરિયાઈ ઉત્પાદનો જેવા શ્રમ-સઘન ક્ષેત્રોને સૌથી વધુ પ્રતિકુળ અસર થઈ છે. વાણિજ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અલગ ડેટામાં આ પ્રતિકુળતા પ્રતિબિંબિત થાય છે.
ઓગસ્ટમાં, મોતી અને કિંમતી પથ્થરોની નિકાસમાં ૫૪.૨%નો ઘટાડો થયો છે, જ્યારે દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં ૩૩%નો ઘટાડો થયો છે, અને સોના અને અન્ય કિંમતી ધાતુના ઘરેણાંમાં ૧૮.૬%નો ઘટાડો થયો છે.










