![]()
અમદાવાદ,મંગળવાર,9 સપ્ટેમબર,2025
સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી
કરાઈ છે.હાઈકોર્ટની ફીટકાર પછી કોર્પોરેશન તંત્ર જાગ્યુ છે.કોર્પોરેશન વતીથી હાઈકોર્ટમાં
જવાબ રજૂ કરવાનો હોવાથી નદીમા કેમિકલયુકત પાણી ટ્રીટ વગર છોડતા એકમો સામે કાર્યવાહી
કરાઈ છે.ઉત્તરઝોનમાં ૨૬, દક્ષિણ ઝોનમાં
૧૮ તથા પૂર્વઝોનમાં ૧૧ એકમના ડ્રેનેજ કનેકશન કોર્પોરેશને કાપી નાંખ્યા છે.
અમદાવાદમાં દાણીલીમડા,બહેરામપુરા, નારોલ સહીતના
વિસ્તારોમાં આવેલા એકમો દ્વારા સાબરમતી નદીમાં ટ્રીટ કર્યા વગર કેમિકલયુકત પાણી
છોડાય છે. આમ ઘણાં વર્ષોથી ચાલ્યુ આવે છે.૨૬ ઓગસ્ટે સાબરમતી નદીમાં છોડવામા આવેલા
પાણીની સાથે વિશાલા બ્રિજ પાસે નદીમાં આવેલા આઉટલેટમાં કેમિકલયુકત પાણી છોડવામા
આવી રહયા હતા. આમ છતાં કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામા
આવ્યા હતા.કોર્પોરેશનના અધિકારીઓ એવી રીતે કામ કરવા ટેવાઈ ગયા છે કે જયારે જયારે
હાઈકોર્ટ સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈ કોર્પોરેશન તંત્ર ઉપર ફીટકાર વરસાવે તે સમયે
કામગીરી બતાવવા માટે કરવામા આવે છે.જે પછી થોડા સમય પછી ફરી રાબેતા મુજબ, અલગ અલગ એકમો
સાબમતી નદીમાં કેમિકલ યુકત પાણી ઠાલવવાનુ ફરી શરુ કરી દે છે.સાબરમતી નદીમાં
છોડવામા આવતા કેમિકલ યુકત પાણી બંધ કરાવવા
કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.નથી કોર્પોરેશનને આ બાબતમાં કોઈ ચિંતા કે નથી ગુજરાત
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને.
કયા-કયા વિસ્તારમાં કાર્યવાહી કરાઈ
૧ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ સુધીમાં શહેરના પૂર્વઝોન, ઉત્તર અને દક્ષિણ
ઝોનમાં આવેલી કોર્પોરેશનની ડ્રેનેજ -સ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈનમાં છોડવામા આવતા ઈન્ડસ્ટ્રીયલ એફલુઅન્ટ ડિસ્ચાર્જ
બંધ કરવા વિવિધ એકમો સામે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ હતી.જેની વિગત આ મુજબ
છે.
વોર્ડ સર્વે કરેલ
એકમ કાપેલ કનેકશન
નિકોલ ૧૨ ૦૪
ઓઢવ ૫૧ —
રામોલ ૦૭ ૦૯
વિરાટનગર ૧૦ —
રણમુકતેશ્વર મહાદેવ પાસેનુ કનેકશન ડમી મારી બંધ કરાયુ
સરદારનગર વોર્ડમાં આવેલા રણમુકતેશ્વર મહાદેવ પાસેથી સાબરમતી
નદીમાં ટ્રીટ કર્યા વગરનુ પાણી છોડાતુ હતુ.હાલમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈનમાં કરેલ કનેકશન ડમી મારી બંધ કરવામાં
આવ્યુ છે.મહાદેવ પાસે બનાવવામા આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં આ ડ્રેનેજલાઈન ડાઈવર્ટ
કરવામા આવી છે.










