અમદાવાદ,શુક્રવાર,28 માર્ચ,2025
મધ્યપ્રદેશના ગ્વાલીયર ખાતેથી લાવવામાં આવેલી વાઘ અને
કાળીયારની જોડી શુક્રવારથી મુલાકાતીઓ નિહાળી શકે એ પ્રકારે મુકવામાં આવી છે. એક
મહીનાનો કવોરન્ટાઈન પિરીયડ પુરો થતા મ્યુનિ.પદાધિકારીઓ દ્વારા લોકો સમક્ષ આ જોડી
મુકવામાં આવી હતી.
સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા મંજૂરી મળતા ૧૬ ફેબુ્રઆરીના દિવસે
ત્રણ ટ્રક મારફત કાંકરીયા ઝૂ ખાતે વાઘની એક જોડી જેમાં એક નર અને માદાનો સમાવેશ થાય
છે.તથા કાળીયારની પાંચ જોડી જેમાં પાંચ નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે તેમને અમદાવાદ
ખાતે લાવવામાં આવ્યા હતા.હાલમાં ઝૂ ખાતે એક સિંહ,બે સિંહણ ઉપરાંત એક સફેદ વાઘણ, પાંચ વાઘણ, એક નર વાઘ તથા ૯ દિપડા
કે જેમાં ચાર નર અને પાંચ માદાનો સમાવેશ થાય છે.એક રીંછ, એક હાથી, એક હીપોપેટોમસ સહીત
કુલ ૨૧૦૦થી વધુ વન્ય જીવોને રાખવામાં આવ્યા છે.ગરમીની શરુઆત થતા પ્રાણીઓ અને પક્ષીઓ
માટે ઈન્ડસ્ટ્રીઅલ કૂલર મુકવામાં આવ્યા છે.બપોર બાદ પાંજરા ઉપર પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે.










