![]()
મુંબઈ : ૨૦૨૪ના ૯ ઓગસ્ટથી ૩ નવેમ્બર સુધીની તહેવારોની મોસમની તુલનાએ વર્તમાન વર્ષના ૧ ઓગસ્ટથી ૨૬ ઓકટોબરના ૮૭ દિવસની તહેવારોની મોસમ દરમિયાન દેશમાં રિટેલ વેચાણમાં ૧૧ ટકા વધારો જોવા મળ્યો છે.
વર્તમાન વર્ષમાં જીએસટી બચત મહોત્સવના ગાળામાં ઉપભોગમાં નોંધપાત્ર વધારો થયાનું આના આના પરથી સંકેત મળી રહ્યા છે એમ રિટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (રાય)ના સુત્રોએ જણાવ્યું હતું.
રાય દ્વારા હાથ ધરાયેલા ૬૬મૉ રિટેલ બિઝનેસ સર્વમૉ જણાયુૅ હતુૅ કે, નીચા જીએસટી દર સાથેના મૂલ્યવાન માલસામાન પ્રત્યે ગ્રાહકોનું આકર્ષણ વધુ રહ્યું હતું. રૂપિયા ૨૫૦૦થી નીચેની કિંમતના ૧૨ ટકા જીએેસટી સાથેના એપરલ અને પગરખાંમાં આકર્ષણ રહ્યું હતું જ્યારે ૨૫૦૦થી ઉપરની કિંમતના એપરલ માટેની માગ ધીમી પડી હતી.
શ્રેણી પ્રમાણે જોવા જઈએ તો, ફૂડ તથા ગ્રોસરી, જ્વેલરી અને ફૂટવેર દરેકના વેચાણમાં ૧૨ ટકા વધારો થયો છે. સ્પોર્ટસ ગુડસ ૧૧ ટકા જ્યારે બ્યૂટી તથા વ્યક્તિગત સંભાળ સામાનના વેચાણમાં ૯ ટકા વધારો થયો છે.
દેશમાં તહેવારોની મોસમ દરમિયાન સૌથી વધુ વેચાણ પશ્ચિમી વિસ્તારમાં થયું છે. ઉત્તર તથા પૂર્વમાં ૧૦ ટકા અને દક્ષિણ ભારતમાં ૯ ટકા વધારો જોવા મળ્યો હોવાનું રાયના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
વર્ષના પ્રારંભથી જુલાઈ સુધીના ગાળામાં વેચાણમાં એક અંકી વૃદ્ધિ રહી હતી જે જીએસટી બચત મહોત્સવને પરિણામે દ્વીઅંકમાં જોવા મળી છે. તહેવારોની મોસમના ગાળામાં ક્વીક સર્વિસ રેસ્ટોરન્ટસની કામગીરી સૌથી શ્રેષ્ઠ રહેવા પામી છે.










