
સયાજી હોસ્પિટલમાં ઉભરાતા ડ્રેનેજના પાણીથી દર્દીઓ, તેમના સ્વજનો તેમજ હોસ્પિટલમાં આવનારા નાગિરકોને ભારે મુશ્કેલી થઈ રહી હોઈ વોર્ડ નંબર ૧૩ના મ્યુ. કાઉન્સિલરે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી અને ગરીબોની જીવાદોરી સમાન શ્રી સયાજી જનરલ હોસ્પિટલના પરિસરમાં ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવા સાથે લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. આ હોસ્પિટલમાં રાજ્ય ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે, છતાં આ સમસ્યાનો લાંબા સમયથી ઉકેલ આવી રહ્યો નથી.










