![]()
Jamnagar Crime : જામનગરમાં 58 દિગ્વિજય પ્લોટ નજીક કાનાનગર વિસ્તારમાં પાલતુ કુતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે હુમલા થયા હતા. જે બાબતે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં કાના નગર શેરી નંબર 1 માં રહેતી હીનાબેન શંકરલાલ જોશી નામની 42 વર્ષની મહીલાએ પોતાના પાલતુ કુતરાને હેરાન કરવાની પાડોશીને ના પાડતાં ઉસ્કેરાયેલા પાડોશી અશોકભાઈ દિનેશભાઈ ભાનુશાળી તેમજ તેના પરિવારના રાજા દિનેશભાઈ ભાનુશાળી, અમિત ભાનુશાળી, અને શૈલેષ ભાનુશાળી સામે પોતાને અને પોતાના પરિવારના સભ્યોને માર મારવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જયારે સામા પક્ષે અશોકભાઈ દિનેશભાઈ દામાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે પાડોશી હીનાબેન શંકરલાલ જોશી, દિપકભાઈ અને જયેશભાઈ વગેરે ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.










