![]()
Jamnagar : જામનગરમાં આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલયમાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા દસ દિવસીય વાર્ષિક તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે.
આ કેમ્પમાં ગણેશચતુર્થી નિમિત્તે ગઈકાલે શાળા કોલેજના કેડેટ્સ દ્વારા પ્રકૃતિની સંભાળ તરફની સજગતા તથા કલા કૌશલ્યનાં અદભુત પ્રયાસના સમન્વયથી બનાવવામાં આવેલા ઇકોફ્રેન્ડલી ગણેશજીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીમાં ભક્તિ, આનંદ,નૃત્ય, જુસ્સો, તથા રાષ્ટ્રીય એકતાનું પ્રશંસનીય સાતત્ય જોવા મળ્યું હતું.










