![]()
અમદાવાદ : જૂન અંતે (Q૧ FY૨૬) પૂરા થયેલા ક્વાર્ટરમાં ભારતની વાણિજ્યિક બેંકોના ડિફોલ્ટ વાર્ષિક ધોરણે ૨૬ ટકા વધીને રૂ.૬૩,૦૦૦ કરોડ થયા છે. આમાં મુખ્યત્વે પસંદગીના ધિરાણકર્તાઓના માઇક્રોફાઇનાન્સ અને અસુરક્ષિત રિટેલ લોન પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે. કેર એજ રેટિંગ્સના ડેટા અનુસાર, ખાનગી ધિરાણકર્તાઓ માટે ડિફોલ્ટની ઘટનાઓ વધુ હતી જ્યારે તેમના સમકક્ષ જાહેર ક્ષેત્રની બેંકોમાં તે ઓછી હતી.
મોટી ખાનગી બેંકમાં ટેકનિકલ અસર અને કૃષિ ક્ષેત્રની ખરાબ મોસમી લોનના કારણે ડિફોલ્ટમાં વધારો થયો છે. માર્ચ ૨૦૨૪ (Q૪ FY૨૫)ના છેલ્લા ક્વાર્ટરના અંતે ડિફોલ્ટ રૂ.૫૭,૦૦૦ કરોડ હતા અને તે પછીના ક્વાર્ટરમાં તેમાં વધારો થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં ખાનગી બેંકોના ડિફોલ્ટ વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધુ (રૂ. ૩૬,૦૦૦ કરોડ) હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં ૧૪.૪ ટકા વધુ (રૂ. ૨૭,૦૦૦ કરોડ) હતા.
કેર એજના અપગ્રેડ અને રિકવરી ડેટા પ્રથમ ક્વાર્ટરમાં ધીમી કામગીરી દર્શાવે છે જે વાર્ષિક ધોરણે માત્ર ૩.૫૭ ટકા વૃદ્ધિ દર્શાવે છે. હકીકતમાં, એપ્રિલ-જૂન ૨૦૨૫માં અપગ્રેડ અને રિકવરી રૂ. ૨૯,૦૦૦ કરોડ હતી જે એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. ૨૮,૦૦૦ કરોડ કરતા વધુ હતી. જાહેર ક્ષેત્રની બેંકોની રિકવરી અને અપગ્રેડમાં નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં છ ટકાનો ઘટાડો થયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં તે રૂ. ૧૬,૦૦૦ કરોડ હતી જે એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં રૂ. ૧૭,૦૦૦ કરોડ હતી. તેનાથી વિપરીત, ખાનગી બેંકોની રિકવરી અને અપગ્રેડ નાણાકીય વર્ષ ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં રૂ. ૧૩,૦૦૦ કરોડ થઈ ગઈ છે જે એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં રૂ. ૧૧,૦૦૦ કરોડ હતી.










