![]()
વડોદરાઃ શહેરના મર્ડર કેસમાંથી છૂટયા પછી પણ ગુનાઓ આચરવાનું ચાલુ રાખનાર રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડયો છે.
શહેરના તરસાલી નજીક ચિખોદ્રા ખાતે ફાર્મ હાઉસની બહાર ગઇ તા.૧૧મી ડિસેમ્બરે રાતે પાર્ક કરેલી કારના કાચ તોડી છ બેગોમાંથી સોનાની ચેન,૩હજાર ડોલર સહિતની ચીજોની ચોરીનો બનાવ બન્યો હતો.
આ બનાવની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે નિર્મલ ઉર્ફે મંગલ પાંડે પ્રવિણભાઇ આહિર(સત્યમ એપાર્ટમેન્ટ, ગોરવા મૂળ સૂર્યલોક સોસાયટી,સુભાન પુરા)ને ગોરવા દશામા મંદિર પાસેથી ઝડપી પાડયો છે.જે પી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા મર્ડર કેસમાં આઠ વર્ષ બાદ અપીલ થતાં જેલમાંથી બહાર આવેલા આરોપી સામે જૂનાગઢ, પાવાગઢ,અમદાવાદ સહિતના સ્થળોએ ૧૮ જેટલા ગુનામાં સંડોવણી હોવાનું જણાઇ આવ્યું છે.કારમાંથી ચોરી કરવામાં એક સાગરીત પણ સામેલ હતો.










