gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
0
VIEWS
Share on FacebookShare on Twitter


‘શિવ માત્ર મંદિર સુધી સીમિત નથી, પરંતુ જવાબદારી, સહનશીલતા અને નિસ્વાર્થ સેવાના સ્વરૂપમાં સમાજમાં હાજર છે.’

ભોળાનાથ શિવ સનાતન સંસ્કૃતિના આરાધ્ય દેવ તરીકે માત્ર પૂજા-અર્ચના કે વિધિ સુધી સીમિત નથી, પરંતુ તેઓ જીવન જીવવાની એક શાશ્વત વિચારધારા છે. આજના સમયમાં શિવને માત્ર શિવલિંગ પર દૂધ અર્પણ કરીને, મંત્રોચ્ચાર અથવા ભજન-કીર્તન પૂરતું નહીં રાખતા, તેમના સ્વભાવ, તત્વ અને સંદેશને સમજવાની તાત્કાલિક જરૂર છે.

સમુદ્ર મંથનની પૌરાણિક કથામાં દેવ અને દાનવો અમૃત માટે મથન કરતા હતા, ત્યારે સૌપ્રથમ અમૃત નહીં પરંતુ ભયંકર હાલાહલ ઝેર બહાર આવ્યું હતું. એવું ઝેર કે જે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકે. આ સમયે દેવતાઓ ભયભીત થયા, દાનવો દૂર ભાગી ગયા અને કોઈ પણ આગળ આવ્યું નહીં.

ત્યારે કોઈ શરત વગર, કોઈ સ્વાર્થ વગર અને કોઈ પ્રશંસા માંગ્યા વિના પ્રભુ ભોળાનાથે એ ઝેર પાન કર્યું અને પોતાના કંઠમાં અટકાવી લીધું. આ કારણે તેઓ “નીલકંઠ” તરીકે ઓળખાયા.

આ ઘટના માત્ર ધાર્મિક કથા નથી, પરંતુ જીવનનું શાશ્વત સત્ય છે. આજના સમાજમાં પણ દરેક પરિવાર, સંસ્થા, વિભાગ અને સમાજમાં કોઈને કોઈ શિવરૂપી પાત્ર હાજર હોય છે.

દેખાવમાં સામાન્ય લાગતી આ વ્યક્તિ ઉપર સૌથી વધુ જવાબદારીઓ અને દબાણોનો ભાર હોય છે.

ઘરના વડા, માતા-પિતા, ભાઈ, કર્મચારી, અધિકારી, નેતા કે કાર્યકર્તા — બહારથી હસતા દેખાતા હોવા છતાં અંદરથી આર્થિક તાણ, નિષ્ફળતાઓ, ટીકાઓ, સંબંધોની તણાવભરી સ્થિતિ અને સમાજની અપેક્ષાઓનું ઝેર એ વ્યક્તિ ચુપચાપ પી રહ્યો હોય છે. તે તૂટે છે, પરંતુ તોડતો નથી; સહન કરે છે, પરંતુ ફરિયાદ નથી કરતો.

સમાજની વિસંગતતા એ છે કે જે વ્યક્તિ પરિવાર કે સંસ્થાને બચાવે છે, એને જ વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે, વધુ ટીકા સહન કરવી પડે છે અને સૌથી ઓછું માન આપવામાં આવે છે. આપણે ઘણી વખત “અમૃત કોણ લાવ્યો?” એ પ્રશ્ન કરીએ છીએ, પરંતુ “ઝેર કોણ પી ગયું?” એ પૂછવાનું ભૂલી જઈએ છીએ.

શિવ બનવું એટલે કમજોર થવું નહીં, પરંતુ સહનશીલ બનવું, જવાબદાર બનવું અને જરૂર પડે ત્યારે એકલા ઊભા રહેવાની હિંમત રાખવી. શિવ મંદિર સુધી સીમિત નથી; શિવ તો સ્વભાવ છે. જ્યાં કોઈ પોતાનું સુખ બાજુએ રાખીને બીજાનું કલ્યાણ કરે છે, જ્યાં કોઈ બદનામી સહન કરીને પણ સાચો નિર્ણય લે, અને એકલો ઊભો રહી સત્યનો માર્ગ પસંદ કરે છે — ત્યાં શિવ હાજર છે.

આ સંદર્ભે સમાજને સંવેદનશીલ બનવાની અને પોતાના જીવનમાં રહેલા શિવરૂપી પાત્રને ઓળખવાની અપીલ કરવામાં આવે છે. ઓછામાં ઓછું એટલું તો કહીએ —

“હું જાણું છું, તું કેટલું સહન કરે છે.”
કારણ કે જવાબદારીના ભારણ રૂપી ઝેર પી જનારને દવા કરતાં વધુ સમજ, માન અને સંવેદનાની વધુ જરૂર હોય છે.
શિવ સર્વત્ર છે….

આર.જે.રામ…(ગોધરા)



G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller
GUJARAT

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

August 19, 2026
15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…
GUJARAT

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

August 19, 2026
Next Post
CM યોગીએ દિલ્હીની સરખામણી ‘ગેસ ચેમ્બર’ સાથે કરી, કહ્યું- ‘તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો…’ | Nationa…

CM યોગીએ દિલ્હીની સરખામણી 'ગેસ ચેમ્બર' સાથે કરી, કહ્યું- 'તમે જશો તો શ્વાસ નહીં લઈ શકો...' | Nationa...

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach…

યોગી થઈને મુખ્યમંત્રી કેવી રીતે રહી શકો? શંકરાચાર્ય વિવાદ પર અવિમુક્તેશ્વરાનંદનો પલટવાર | shankarach...

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A…

કોંગ્રેસ આતંકવાદીઓને ખભે બેસાડી દેશના ભાગલા પાડવા માંગે છે: આસામમાં PM મોદીનું સંબોધન | PM Modi In A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

1 year ago
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

1 year ago
જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

7 months ago
શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

1 year ago
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

1 year ago
જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂ. 6 કરોડના ખર્ચને મંજૂરી | Municipal Corporatio…

7 months ago
શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News