
– વરસાદી છાંટા પડતાની સાથે જામતા કિચડના થર
– કિચડમાં છાસવારે ગ્રાહકો ગબડી પડે છે, સમસ્યા કાયમી નિરાકરણ ઝંખે છે
તળાજા : વરસાદી છાંટા પડતાની સાથે જ તળાજાના શાકમાર્કેટમાં કાદવ અને કિચડનું સામ્રાજય છવાઈ જાય છે.૨૫ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ શિરદર્દ સમાન સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાયુ ન હોય ગ્રાહકોમાં પ્રબળ કચવાટ વ્યાપેલ છે.
ગઈકાલ રાત્રીથી તળાજામાં ઝરમર વરસાદ ભીંજવી રહ્યો છે.










