વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
પૂ. મોરારિબાપુના શ્રી મુખેથી ગવાનાર રામકથાનો આજે કૈલાશ ટેકરી સગાપરા ધાર પાલીતાણા ખાતે દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયો બ્રહ્મલીન તપસ્વી સંત પૂ.વિજયગીરીબાપુની તપોભૂમિ ખાતે પૂ લાલગીરીબાપુની નિશ્રામાં આયોજન થઈ રહ્યું છે.
સ્વાગત પ્રવચનમાં જગ્યાના મહંત શ્રી લાલગીરીબાપુએ કહ્યું કે વીજયગીરીબાપુની તબસાધના આ કથાને અહીં લાવી છે. આજે આનંદ છે કે આપને મનોરથને સંપન્ન કરી શક્યા છીએ.તેઓએ ભાવુક બનીને શબ્દો ઉચ્ચાર્યા હતા.
પૂ. મોરારિબાપુએ આજની કથાનો સંવાદમાં કરતા કહ્યું કે આ કથાનુ નામાભિધાન “માનસ શિવ સંકલ્પ “કરીએ છીએ.તુલસીદાસજી કદાપી નારી નિંદક નથી. કારણ કે તેમના પ્રથમ ગુરૂ નારી એટલે કે તેમના ધર્મપત્ની રત્નાવલીજી છે તેથી તે નારી નિંદક કેવી રીતે હોઈ શકે? બાપુએ આજે વર્ષો પહેલા પાલીતાણામાં શ્રી લીલાબેન કપાસી અને ડો.મકરાણીયા સાહેબ દ્વારા યોજાયેલી કથાઓનું પણ સ્મરણ કર્યું હતું.
આજે લગભગ 50 વર્ષ પછી કરી રામકથાનાને લઈને આ પવિત્ર ભૂમિ ઉપર આવવાનો અવસર મળ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો.
આજે કથાના ક્રમમાં વંદના પ્રકરણ થયું હતું.
તેમાં હનુમાનજી,ગણેશજી,સતી, ગુરુ, અને અનેકની વંદના કરવામાં આવી છે. આ ઉપરાંત આજે રામચરિત માનસ મહાત્મ્ય પણ પ્રસ્તુત થયું.
આજની શારદાપીઠ શંકરાચાર્યના પ્રતિનિધિ સ્વામી પૂ.શ્રી નારાયણ સ્વામી, દ્વારકાથી પૂ.શ્રી કેશવાનંદજી સાવરકુંડલાના પૂ.શ્રી ભક્તિરામ બાપુ વગેરે સંતો તથા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા અને શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા વગેરે ઉપસ્થિત હતા.શ્રી નરેન્દ્ર ભાઈ ત્રિવેદીએ પ્રાસંગીક ઉદ્બોધન કર્યું હતું અને દીપકભાઈ રાજ્યગુરુએ સંચાલન કર્યું હતું.










