
– પકડાયેલા કૂતરાઓને પરત છોડવામાં નહીં આવે
– આઠ સપ્તાહમાં તમામ રખડતા કૂતરાઓ પકડી તેમને ડોગ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવે : સુપ્રીમ
નવી દિલ્હી : રખડતા કૂતરાની સમસ્યાનો સામનો કરી રહેલ દિલ્હી માટે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. દેશની સૌથી મોટી કોર્ટે જણાવ્યું છે કે આઠ સપ્તાહની અંદર તમામ રખડતા કૂતરાઓેને પકડીને ડોગ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવે. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે આ કૂતરાઓને પરત છોડવામાં નહીં આવે.










