
– ભારતના ઐતિહાસિક વારસા પર યુનેસ્કોની મહોર
– દિવાળીનો તહેવાર આપણી સભ્યતાનો આત્મા છે, જ્ઞાન અને ધર્મનું પ્રતીક હોવાની સાથે આપણો સાંસ્કૃતિક વારસો છેઃ મોદી
નવી દિલ્હી : ભારતના પ્રકાશના પર્વ દિવાળીને યુનેસ્કોએ વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર ગણાવ્યો છે. યુનેસ્કોએ દિવાળીના તહેવારને માનવ સભ્યતા દ્વારા પ્રકાશના પર્વની ઉજવણીનો ઉપાલંભ ગણાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીને પોતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. આ નિર્ણય દિલ્હીમાં લાલ કિલ્લા પર યુનેસ્કોની યોજાયેલી બેઠકમાં લેવાયો હતો.










