
– વેચાણ કરતા શખ્સ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો
– કમળાથી ડભાણ ચોકડી તરફ પર્યાવરણને નુકસાન કરતી 86 હજારની પીઓપીની મૂર્તિનો નાશ
નડિયાદ : નડિયાદ શહેરમાં કમળા ચોકડીથી ડભાણ ચોકડી તરફના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર રૂા. ૮૬ હજારની પીઓપીમાંથી બનાવેલી ૧૧૦ મૂર્તિઓનો નાશ કરી ગ્રામ્ય પોલીસે એક શખ્સ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
નડિયાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળેલી કે કમળા ચોકડીથી ડભાણ ચોકડી તરફ જતા ઓવરબ્રિજ નીચેના સવસ રોડ પર એક ઇસમ પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરી રહ્યો છે.










