
– પીએમ મોદી અંગે ટીપ્પણી બદલ માનહાનિ કેસમાં થરૂરને રાહત
– શશી થરૂરે પીએમ મોદીની સરખામણી ‘શિવલિંગ પર બેઠેલા વીંછી’ સાથે કરતાં ભાજપ નેતા રાજીવ બબ્બરે કેસ કર્યો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન હોવાની વિવાદાસ્પદ ટીપ્પણી બદલ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને રાહત આપવાના સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે, નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ. આ સાથે તેમણે થરૂર વિરુદ્ધ માનહાનીનો કેસ કરનારા ભાજપ નેતાને પણ સવાલ કર્યો હતો કે તમે આટલા સંવેદનશીલ શા માટે છો?
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વર્ષ ૨૦૧૮માં કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ એક નેતાએ નરેન્દ્ર મોદીની સરખામણી ‘શિવલિંગ પર બેઠેલા વીંછી’ સાથે કરી હતી. થરૂરના આ નિવેદન અંગે ભાજપ નેતા રાજીવ બબ્બરે તેમના વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો.










