![]()
વડોદરા, તા.14 આર.વી. દેસાઇરોડ પર રહેતી પરિણીતાએ આજે સવારે પતિ સાથે નાસ્તો કરવા બાબતે ઝઘડો થયા બાદ પત્નીએ બેડરૃમમાં જઇને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ આર.વી. દેસાઇરોડ પર ગંગાસાગર એપાર્ટમેન્ટમાં રહેતી પાયલ સન્નીભાઇ પેન્ડુલકર (ઉ.વ.૩૨)ના ૧૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. સંતાનમાં બે પુત્રી છે. આજે સવારે નાસ્તા બાબતે પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. બાદમાં પાયલ બેડરૃમમાં જતી રહી હતી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. થોડા સમય બાદ પતિ નાહવા માટે બેડરૃમમાં જવા નીકળ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાથી ખખડાવ્યો પરંતુ પાયલે ખોલ્યો ન હતો અને કોઇ જવાબ અંદરથી મળ્યો ન હતો જેથી દરવાજો તોડતા પાયલ અંદર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. પત્નીને તાત્કાલિક નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.
અન્ય બનાવમાં બદામડીબાગ વિસ્તારમાં સલાટકર એપાર્ટમેન્ટમાં રહેતા ૧૯ વર્ષના ધવલ સંતોષ મોરે વાઘોડિયા તાલુકાની ખાનગી યુનિવર્સિટીમાં અન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે સવારે માતા-પિતા શ્રાધ્ધ માટે બહાર ગયા હતા અને ધવલ ઘેર એકલો હતો. બપોરે તેણે સમોસા લઇને આરોગ્યા બાદમાં મ્યૂઝકનો મોટો અવાજ ચાલુ કરી ગળા ફાંસો ખાઇ મોતને વ્હાલુ કર્યુ હતું. વિદ્યાર્થીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










