![]()
– અનેક દેશો અને IMFનાં દેવામાં પાક. દબાઈ ગયું છે
– પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને ૪૩.૫ ટકા થઇ ગયો છે : શહબાઝ શરીફ સરકાર જ કંગાળ બની ગઈ છે : મૂળભૂત જરૂરિયાતોનાં મૂલ્યના આંક પરથી આ આંકડા તૈયાર થાય છે
નવી દિલ્હી: પાકિસ્તાનમાં ગરીબી દિવસે દિવસે વધતી જાય છે. કરોડો લોકો ગરીબી અને ભૂખમરાનો શિકાર બન્યા છે. બીજી તરફ અનેક દેશો અને આઈએમએફનાં દેવામાં ડૂબેલી શહબાઝ સરકાર કંગાળ બની ગઈ છે. દેસમાં ગરીબીનો દર ૪૩.૪% પહોંચી ગયો છે. તેમ એસ.પી.ડી.સી.નો અહેવાલ જણાવે છે. તે અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં ગરીબીનો દર વધીને ૪૩.૫ ટકા થઇ ગયો છે. જે પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા અનુમાનિત ૨૮.૯ ટકા ગરીબી દરના પ્રમાણમાં ૧૪.૬ ટકા વધુ છે. ગરીબોની સંખ્યા શહેરોમાં વધુ છે. તેનો દર ૩૨.૧ ટકાથી વધી ૪૨.૧ ટકા થયો છે. એટલે કે તેમાં ૧૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ૩૯.૩ ટકાથી વધી ૪૪.૩ ટકા થઇ છે. એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબનો દર માત્ર પાંચ ટકા જ વધ્યો છે.
૨૦૧૮-૧૯માં રાષ્ટ્રીય ગરીબીન દર ૩૬.૬ ટકા હતો. જે ૨૦૨૪-૨૫માં વધીને ૪૩.૫ ટકા થયો છે. એટલે કે આશરે ૨૫ કરોડ લોકો ગરીબ છે. આ આંકડા પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે તૈયાર કર્યા છે. જે મૂળભૂત જરૂરિયાતોનાં મૂલ્યના અંકો ઉપરથી તૈયાર કરાય છે. તેના સૂચકાંકના આધારે ગરીબીનો દર નક્કી થાય છે. તેમાં આરોગ્ય સેવામાં અને પ્રાપ્ય સ્વચ્છ પેય જલ સુધીની બાબતો આવરી લેવાય છે. તે ઉપરાંત વ્યક્તિ દીઠ જરૂરી તેટલી ઓછામાં ઓછી કેલરીની જરૂરિયાતો મુખ્યનાં ગણતરીમાં લેવાય છે તે રીપોર્ટમાં આરોગ્ય સુવિધાઓ અને પીવાનાં પાણી પૂરૂં પાડવા પ્રત્યેની બેદરકારી માટે ઉગ્ર ટીકા કરવામાં આવી છે અને ઘરેલું ખર્ચાઓ અનિવાર્ય ખર્ચાઓ પ્રત્યે દુર્લભ્ય સેવાયું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હોમ ઇન્ટીગ્રેટેડ ઇકોનોમિક સર્વેના આંકડાઓના આધારે જાણવા મળ્યું છે કે એકતરફ ખૂબ ઊંચી આવકવાળો વર્ગ છે. તો બીજી તરફ કરોડો લોકો ભૂખે મરે છે. પાકિસ્તાનમાં આવકની અસમાનતા અસહ્ય સ્તરે પહોંચી છે. ગરીબમાં ગરીબ માણસને પણ અનિવાર્ય તેવી આરોગ્ય સેવા અને પૂરતું ખાદ્યાન્ન મળી રહે તે માટે બહુ મોટા સુધારા કરવા પડશે. તેમ પણ તે આંકડા પરથી જાણવા મળે છે.










