અમદાવાદ, સોમવાર
રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાને તેનો પ્રેમી મળવા આવ્યો હતો. જો કે ડોરબેલ નહી વગાડતા પાગલ પ્રેમીએ ઉશ્કેરાઇને બારીના કાચ તોડી નાંખ્યા હતા અને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
૩૦ વર્ષના પ્રેમ સંબંધનો અંત ઃ રામોલ પોલીસે પ્રેમી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
વસ્ત્રાલમાં રહેતી ૫૩ વર્ષીય વિધવા મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગરમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે કોરોના સમયે તેમના પતિ મરણ પામ્યા હતા બીજીતરફ આરોપી સાથે મહિલાને ત્રીસ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બન્ને પતિ-પત્નીની જેમ રહેતા હતા અને મહિલાનો તમામ ખર્ચો અને સામાજિક જવાબદારી પ્રેમી જ ઉપાડતો હતો. મહિલાના દીકરાના લગ્નની જવાબદારી પણ પ્રેમીએ નિભાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
તા.૭ ના રોજ રાતના સમયે ફરિયાદી વિધવા ઘરે હાજર હતી ત્યારે પ્રેમી આવ્યો હતો અને ડોરબેલ વગાડયા ન હતો જેના લીધે તે આવ્યો હોવાની જાણ થઇ ન હતી. જેથી દરવાજો ખોલ્યો ન હતો. ઘરની નીચે બુમાબુમ થતા મહિલાએ ગેલેરીમાંથી જોયું તો પ્રેમી બુનો પાડીને ગાળો બોલી રહ્યો હતો. જેને લઇને મહિલાએ ગભરાઈને દરવાજો ન ખોલતા પાગલ પ્રેમીએ બારીના કાચ ફોડયા હતા. કાચ ફૂટવાનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ આવતા પહેલા જ પ્રેમી ભાગી ગયો હતો.










