gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in GUJARAT
0 0
0
પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી
1
VIEWS
Share on FacebookShare on Twitter


અમદાવાદ, સંજીવ રાજપૂત: સાણંદના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સાણંદમાં ૧૫ વર્ષથી ગૌશાળા ચલાવતા ગજેન્દ્રસિંહ વાધેલા પ્રાકૃતિક ખેતી કરનાર કોઇપણ ખેડૂતોને મળે ત્યારે સૌ ખેડૂતોને એક પ્રશ્ન રહેતો કે, પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી જીવામૃત અને અન્ય ખાતરો બનાવવા માટે ગાયના ગોબર-ગૌમૂત્રની જરૂર પડે છે, પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી ગાય ખરીદી શકતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે તેમણે નિર્ણય કર્યો કે, તેઓ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને નિ:શુલ્ક ગાયોનું દાન કરશે.

આ પહેલ અંગે વાત કરતા ગજેન્દ્રસિંહ વાધેલા કહે છે કે, હું પોતે છેલ્લાં ઘણાં વર્ષોથી માત્ર પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું અને છેલ્લાં ૫-૭ વર્ષથી અમદાવાદ જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત પણ કરું છું. હું ઘણા બધા ખેડૂતોને મળ્યો ત્યારે મોટાભાગના ખેડૂતો માટે જીવામૃત, ઘનજીવામૃત અને જંતુનાશકો બનાવવા માટે જરૂરી ગાયના ગોબર અને ગૌમૂત્ર મેળવવો એ સૌથી મોટી સમસ્યા હતી. ઘણા ખેડૂતોની આર્થિક સ્થિતિ એવી હોય છે કે તેઓ ગાય ખરીદી શકતા નથી. એટલું જ નહીં,

ગાયનો દૈનિક નિભાવ ખર્ચ ઓછામાં ઓછો ૧૨૫ થી ૧૫૦ રૂપિયા જેટલો થાય છે. ખેડૂતોને આ ખર્ચ પૂરો પાડવો પણ ક્યારેક મુશ્કેલ પડે છે. ખાસ કરીને નાની વાછડીઓને જ્યાં સુધી તે દૂધ આપતી ન થાય ત્યાં સુધી ઉછેરવામાં ખર્ચ પોસાતો નથી, જેના કારણે ખેડૂતોને મોટી ગાયની જરૂર પડે છે. આમ, પ્રાકૃતિક કૃષિને લઇને આ ખેડૂતો માટે ગાયની જરૂરિયાત એક મુખ્ય પડકાર હતો. આ પડકારોને પહોંચી વળવા માટે પોતાની ગૌશાળામાંથી ગાયો નિ:શુલ્ક આપવાનો સંકલ્પ કર્યો, જેથી દરેક ખેડૂતના ઘરે ગાય બંધાઈ શકે અને તેઓ પ્રાકૃતિક કૃષિ અપનાવી શકે. આ પહેલ થકી અત્યાર સુધીમાં લગભગ ૪૦ થી ૫૦ ગાયો ખેડૂતોને નિ:શુલ્ક આપવામાં આવી છે. હાલમાં, તેમની પાસે કુલ ૭૦ ગાયો છે, જેમાં વાછડા અને વાછડીઓનો પણ સમાવેશ થાય છે.

ગજેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના બાપ-દાદાઓનો વારસો જીવંત રાખ્યો છે. ગજેન્દ્રસિંહ વાઘેલાના દાદા અને પિતાનો એવો નિયમ હતો કે ગાય ક્યારેય વેચવી નહીં. આ વારસો જાળવી રાખીને તેમણે સંકલ્પ કર્યો કે ગાય દરેક ખેડૂતના ખીલ્લે બંધાય. એટલું જ નહીં ખેડૂતના ઘરે ગાય હોવાથી તેમને અને તેમના પરિવારને શુદ્ધ ગાયનું દૂધ, ઘી અને છાશ ખાવા મળે છે. આમ, ગાયને ‘હરતું ફરતું દવાખાનું’ માનવામાં આવે છે.

ગજેન્દ્રસિંહ પોતાની ગૌશાળામાંથી જરૂરિયાતમંદ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપે છે. તેઓ ગાય આપતી વખતે ખેડૂત સાથે કરાર પણ કરે છે કે ગાય વેચવી નહીં. જો ખેડૂતને ભવિષ્યમાં ગાય ન પોસાય, તો તે ગાયને પાછી તેમની ગૌશાળામાં મૂકી શકે છે અને તે ગાય પછી બીજા જરૂરિયાતમંદ ખેડૂતને આપવામાં આવે છે. તેઓ ખેડૂતોને મોટી ગાયો પણ આપે છે કારણ કે નાની વાછડીને દૂધ આપતી થાય ત્યાં સુધી ઉછેરવાનો ખર્ચ ખેડૂતને પોસાતો નથી. જોકે, કેટલાક સક્ષમ ખેડૂતોને નાની વાછડીઓ પણ આપવામાં આવે છે.



G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ
GUJARAT

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

May 11, 2026
Next Post
પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan…

પૂરપાટ દોડતી મોંઘેરી કારના ચાલકે 5 લોકોને કચડ્યાં, દિલ્હીના વસંત વિહારની હચમચાવતી ઘટના | Delhi Vasan...

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

7 months ago
गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

8 months ago
જામનગર શહેરમાં કમોસમી વરસાદ માર યથાવત : ગઈ રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો | Unseasona…

જામનગર શહેરમાં કમોસમી વરસાદ માર યથાવત : ગઈ રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો | Unseasona…

6 months ago
જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

Follow Us

Recommended

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

વડોદરામાં ભયંકર અકસ્માત : કાર ડિવાઈડર સાથે ટકરાઈ ઝાડ પર ઊંધી લટકી ગઈ, એકનું મોત, ચારને ઈજા | Fatal X…

7 months ago
गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

8 months ago
જામનગર શહેરમાં કમોસમી વરસાદ માર યથાવત : ગઈ રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો | Unseasona…

જામનગર શહેરમાં કમોસમી વરસાદ માર યથાવત : ગઈ રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ નોંધાયો | Unseasona…

6 months ago
જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

જામનગરમાં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી | Standing…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News